Abtak Media Google News

ધંધાની ઉઘરાણીના પ્રશ્ર્ને બે શખ્સોએ છરી ઝીંકી

લીંબડીમાં ધોળા દિવસે વેપારી ઉપર છરીના ઘા ઝીંકી હુમલો કરતાં બે વ્યક્તિ ઘાયલ થઇ હોવાનો ચકચારી બનાવ બન્યો હતો. તેના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ પ્રસરી ગયો હતો.

બનાવની વિગત એવી છે કે લીંબડી સરોવરીયા હનુમાનજી ચોક પાસે આવેલ આઝાદ સીઝનેબલ સ્ટોરના વેપારી સાથે ઘંધાની ઉઘરાણી અર્થે બોલાચાલી થઇ હતી. ત્યારે રમેશ શીવાભાઈ પરમાર એકાએક ઉશ્કેરાઈ ગયા હતાં અને હાદકભાઈ નટુભાઈ ખાંદલા અને ચિરાગભાઈ નટુભાઈ ખાંદલા મળી બન્ને ભાઈઓને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાશી છુટયો હતો. બન્ને ભાઈઓને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ હાદકભાઈ ને વધુ ગંભીર ઈજા હોવાનાં કારણે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે ધોળા દિવસે વેપારીઓ અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા છરીના ઘા ઝીંકી હુમલો કરતાં વેપારીઓમાં ચકચાર મચી જવા પામી છે. કાયદો અને વ્યવસ્થાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડયુ છે.  ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.