Abtak Media Google News

શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ નૂતની કરણ ઉપાશ્રયનો દ્વાર ઉદ્દઘાટન સમારોહ ભક્તિભાવથી સંપન્ન

પ્રભુ ધર્મની પ્રભાવનાનો અથાગ અને ભગીરથ પુરુષાર્થ કરીને ગોંડલ ગુચ્છ અને ગુરૂનું ગૌરવ વધારી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને પાવન પ્રેરણાથી નૂતનીકરણથી ભવ્યતા પામેલા શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયનો દ્વાર ઉદ્ઘાટન સમારોહ પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ, ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ અને મહાસતીજીવંદના સાંનિધ્યે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અત્યંત આનંદ ઉત્સાહ અને શ્રધ્ધા ભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.

Advertisement

ગોંડલ ગચ્છના આધ્યસંસ્થાપક, એકાવતારી, નિંદ્રા વિજેતા ગુરુદેવ પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ સાહેબની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતી ગાદી જ્યાં સ્થાપિત કરવામાં આવી છે એવાં ૨૦૦ વર્ષ જુનાં શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયને રાષ્ટ્રસંત પૂજ્યની પ્રેરણા અને મુંબઈનાં ઉદારદિલ દાનેશ્વરી ગુરૂભક્ત પરાગભાઈ કિશોરચંદ્ર શાહનાં બહોળા અનુદાનના સહયોગે નૂતનીકરણનો ઓપ આપવામાં આવ્યો છે.

નૂતનીકરણ થયેલાં ઉપાશ્રયેનો દ્વાર ઉદ્દઘાટન સમારોહના આ અવસરે પરમ શ્રધ્ધેય પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ, ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ, શાસન ગૌરવ પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબ, શાસનચંદ્રિકા પૂજ્ય હીરાબાઈ મહાસતીજી, અખંડ સેવાભાવી પૂજ્ય ભદ્રાબાઈ મહાસતીજીની સુશિષ્યાઓ, સદાનંદી પૂજય સુમતીબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ, વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજ્ય ઉર્મી -ઉર્મીલાબાઈ મહાસતીજી આદિ એવમ સંઘાણી સંપ્રદાયના પ્રવર્તિની ચારિત્ર જ્યેષ્ઠા માં સ્વામી પૂજ્ય જયવિજયાબાઈ મહાસતીજી પરિવાર આદિ ડુંગરદરબારના સતીવૃંદની મંગલમય પધરામણી સાથે સમગ્ર કાર્યક્રમમાં એક અનેરા પ્રકારની પાવનતા પ્રસરાઈ હતી.Whatsapp Image

ગેંડલનાં ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં સમસ્ત સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ મસ્તકે ગૌરવવંતી પાઘડી ધારણ કરીને પધારતા એમનાં પ્રવેશ વધામણાં કરવાં સાથે રાષ્ટ્રસંત પૂજ્ય મહાપ્રભાવક ઉવસગહરં સ્તોત્રની જપ સાધના બાદ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી છ મહિના પહેલાં ગોંડલ નવાગઢ શ્રી સંઘના ઉપાશ્રયમાં પધારેલાં રાષ્ટ્રસંત પૂજ્યની દીર્ઘદ્રષ્ટિએ ભાવિકોને ઉપાશ્રયના નૂતનીકરણની પ્રેરણા આપવામાં આવતા શ્રી સંઘે સર્વ સંમતિથી સહર્ષ સ્વીકારી અને ઉપાશ્રયનો નૂતનીકરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ.

ઉપાશ્રય નૂતનીકરણના કાર્ય સંદર્ભે આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યે કહ્યું હતું કે, કોઈપણ સર્જન એક વિઝને સાથે કરવામાં આવતું હોય છે. કોઈ પણ સર્જન માત્ર સગવડ માટે નહીં ભાવી યુવાપેઢીનું વિઝને રાખીને કરવામાં આવે તો જ યુવાઓને ધર્મ માર્ગે વાળી શકાય.

આ અવસરે પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબે પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતાં કહ્યું હતું કે, પૂજ્ય સંતો અને સતીજીઓનું વિચરણ સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે પરંતુ ગેંડલની ભૂમિનો પ્રભાવ એવો છે કે, દરેક સંતેસતીજીઓ પ્રત્યેના સદ્દભાવની અહીં જે ઉમદાભાવના છે તે અન્ય સંઘોએ શીખવા જેવી છે. સંત-સતીજીઓ ચાહે આજે ગમે એવા ઉચ્ચ સ્થાન પર બિરાજી રહ્યાં હોય પરંતુ એના પાછળનું યોગદાને ગોંડલનું રહેલું છે.

Whatsapp Image 2019 02 03 At 9.57 1

આજે અહીં સંતો અને સતીજીઓ એકત્રિત થયાં છે તે વર્તમાન ઇતિહાસનો પ્રથમ પ્રસંગ બની રહેશે. ઉપરાંતમાં ગોંડલ સંઘની નાના સંઘો પ્રત્યેની ઉદારતાની. પ્રશસ્તિ કરીને આવનારા સમયમાં ગાદીનું ગૌરવ વધતું રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી અને સાથે સાથે અનેક સહયોગીઓના સહયોગે નૂતનીકરણ પામેલાં ઉપાશ્રયની સ્વછતા જાળવીને અહીં આવનાર દરેક ભાવિકો માટે અનુકૂળ વાતાવરણ સર્જવાની તેમજ અતિથિગૃહ અને ભોજનશાળાના નિર્માણની પ્રેરણા કરી હતી.

ગોંડલના દીકરી એવા પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજી તેમજ ડો. પૂજ્ય અમીતાબાઈ મહાસતીજીએ સુંદર બોધ પ્રવચન આપીને સહુને પ્રેરિત કાર્ય હતા. ગોંડલ સંપ્રદાય સંઘના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ વક્તવ્ય આપીને રવયંને દાદા ગુરુદેવ પરિવારના પ્રમુખ કે મંત્રી તરીકે નહીં પરંતુ એક સેવક તરીકે ઓળખાવ્યાં હતા.

ઉપાશ્રયના નૂતનીકરણમાં અનુદાન આપનારા ઉદારદિલ ગુરુભક્ત પરાગભાઇ શાહે વક્તવ્ય દ્વારા પોતાના ભાવોની અભિવ્યક્તિ કરીને પૂજ્ય ગુરુ ભગવંત પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો અને સાથે સાથે ઉપાશ્રયની જાળવણી માટે દર વર્ષે ૨ લાખ રૂપિયાનું અનુદાન આપવાની ઘોષણા કરી હતી.

Whatsapp Image 2019 02 03 At 9.57 2

આ અવસરે દાદા ગુરુદેવના જીવન કવન પર આધારિત કલાત્મક પેઇન્ટિંગસ નું અનાવરણ પરાગભાઈ શાહ, જીતુભાઈ બેનાણી, અજયભાઈ શેઠ અને ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવતાં સર્વત્ર પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તેમજ સંઘનાં મંત્રી જિજ્ઞેશભાઈએ સહનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. લુક એન લર્ન ગોંડલની બાલિકાઓ દ્વારા આ અવસરે સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરતાં સર્વત્ર આનંદ છવાયો હતો.

ઉપાશ્રય નૂતનીકરણના આ કાર્યક્રમમાં જે ભાવિકો પોતાના અમૂલ્ય સમય અને સામર્થ્યનું યોગદાન આપી સહભાગી બન્યાં હતાં તે સર્વ ભાવિકોનું તેમજ સૌરાષ્ટ્રભરના ઉપસ્થિત સર્વ સંઘપદાધિકારીઓને ગાદીનું સુંદરપ્રતિક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. એ સાથે જ પરાગભાઇના હસ્તે ઉપાશ્રયના નૂતનીકરણ કાર્યમાં સહયોગ આપનારા દરેક સેવક ભાવિકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દાતા પરિવાર માનસીબેન પરાગભાઇ શાહનું ગેંડલ સંપ્રદાયના સંઘોએ સન્માન કરેલ.

નૂતનીકરણ પામેલાં ઉપાશ્રયના દ્વાર ઉદ્ધાટનનો અમૂલ્ય લાભ આ અવસરે રૂ. આઠ લાખમાં બીનાબેન અજયભાઈ શેઠ પરિવારે લીધો હતો.નૂતનીકરણ ઉપાશ્રયમાં બનનારા ત્રણ સાધના રૂમના અનુદાનનો લાભ ગોંડલના માતુશ્રી રમીલાબેન હરકીશનભાઈ બેરાણી હસ્તે કુમારી ધારાબેન બનાણી, માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર – હસ્તે ચંદ્રકાન્તભાઈ શેઠ તેમજ પ્રતીકભાઈ સુરેશભાઈ કામદારે લીધો હતો.

લાભાર્થી પરિવાર દ્વારા નૂતનીકરણ પામેલા ઉપાશ્રયના દ્વારનું પૂજ્ય દાદા ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબની ધૂનના ગુંજારવ સાથે મંગલ ઉદ્ઘાટન કરવામાં આવતાં સર્વત્ર ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. ભાવિકો માટેની નવકારશીનો લાભ કામદાર પરિવાર તેમજ ગૌતમ પ્રસાદ નો લાભ લુહાણા પરિવારના અનિલભાઈ ઉનડકટે લીધો હતો. શાસન ગૌરવ પૂજ્ય  પિયુષમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી માંગલિક વચનના શ્રવણ સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.