Abtak Media Google News

થોડા સમય પહેલા જ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના બની હતી જેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા હતા ત્યારે આજ રોજ વધુ દુર્ઘટના ટળી છે. મળતી માહિતી મુજબ આ ઘટના ટંકારા તાલુકાના ઉગમણા નાકા પાસેની છે જ્યાં સુશોભિત ગેટ આજે બપોરે તૂટી પડ્યો હતો.

Efbdf0B7 6Fd1 4767 A61D 76C4164Ab824

ટંકારામાં ઉગમણા ગામે બપોરના સમયે સુશોભિત ગેટ તૂટી પડ્યો પરંતુ સદનસીબે કોઈ હાજર ના હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આ ગેટ તૂટી પડ્યો ત્યારે એક સ્કૂલ બસ અહીંથી થોડે દુર જ હતી ત્યારે જો સ્કૂલ બસ અહીંથી પસાર થતી વેળાએ ગેટ તૂટી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

લોકોમાં ભયનો માહોલ

45945413 D88C 4F20 90Cc 27C59856Ddb6
ટંકારા પંથકમાં ગેટ તૂટયાની ઘટના ત્વરિત ફેલાઈ હતી. આ ઘટનાને લોકોને મોરબી દુર્ઘટનાની યાદ તાજી કરાવી હતી. ગેટ તૂટી પડ્યાના સમાચાર મળતા લોકોમાં ભય અને ફફડાટ ફેલાયો હતો. તસવીરોમાં જોવા મળે છે કે ગેટ તૂટીને ટુકડા-ટુકડા થઈ ગયો છે. ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.