Abtak Media Google News

આગામી દિવસોમાં લોકસભાની તમામ બેઠકો માટે પ્રભારીના નામ જાહેર કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ઘણા સમયથી ભાજપના કાર્યકર્તાઓને સંબોધન વેળાએ ભારપૂર્વક એવું કહી રહ્યા છે કે, લોકસભાની ચૂંટણીમાં આડે હવે માત્ર 400 દિવસ બાકી છે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની હેટ્રીક કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. નવસારી બેઠક માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.

બીલીમોરા ખાતે નવસારી જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ, જનતા જનાર્દન તેમજ ધારાસભ્યનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં પેજ કમિટી અંગે ચર્ચા થઇ રહી છે. તેનો શ્રેય નવસારી લોકસભાના કાર્યકર્તાઓને જાય છે. પેજ કમિટીના જન્મદાતા નવસારી લોકસભાના કાર્યકર્તાઓ છે. સી.આર.પાટીલે નવસારી લોકસભાના પ્રભારી તરીકે અશોકભાઇ ધોરાજીયાનું નામ જાહેર કર્યું હતું.

આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની બાકીની તમામ 25 બેઠકો માટે પ્રભારીના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.