Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે કરેલ સરદાર પ્રત્યે અપમાનજનક વાણીવિલાસના જડબાતોડ જવાબ આપવા અને કોંગ્રેસ સામે આક્રોશ વ્યકત કરવા શહેરના કોર્પોરેશન ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેખાવાનો કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે સતત સરદાર વલ્લભભાઈ પટેલની અવગણના કરી છે ત્યારે ફરીથી કોંગ્રેસે ગઈકાલે સરદાર પટેલ પ્રત્યે વાણીવિલાસ કર્યો છે જેને ગુજરાતની જનતા કે દેશની જનતા કયારેય માફ નહીં કરે, અને જેનો જડબાતોડ જવાબ આવનારી ચુંટણીમાં જનતા આપશે.

આ તકે પ્રફુલ કાથરોટીયા, મનીશ ભટ્ટ, કેતન પટેલ, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, નિતીન ભુત, માધવ દવે, આસીફ સલોત, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, ભરત મેવાડા, ભરત મુલીયાણા, પાર્થ કામલીયા, જયસુખ બારોટ, કેયુર મશ‚, હીરાભાઈ ઘાવરી, કિરીટ કામલીયા, રસિકભાઈ સાવલીયા સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.