ભાજપા દ્વારા ૭- ૧૨ નવેમ્બર સમગ્ર ગુજરાતમાં આવેલ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડા જીલ્લાના કઠલાલ ખાતે અભિયાનમાં જોડાઇ ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની કાર્યપધ્ધતિને જનજન સુધી પહોચાડી હતી. કઠલાલ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બિમલભાઇ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું કઠલાલના પ્રજાજનો, યુવાનો, મહિલાઓએ કુમકુમ તિલક કરી, સાફો પહેરાવી વિવિધતા સભર સ્વાગત કર્યુ હતું. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સો સમગ્ર કઠલાલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વાગત-સન્માનના પ્રત્યુત્તરમાં કઠલાલના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતુ કે, વિકાસ એ ભાજપાનો મિજાજ છે અને ગુજરાતની જનતાને તેના આશિર્વાદ છે. ભાજપા હકારાત્મકતા અને પ્રગતિના માર્ગે ચાલે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા અને વિવાદના માર્ગે કાર્ય કરે છે. કોંગ્રેસના ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી વલણને ખેડાના મતદારો અને સમગ્ર રાજ્યના મતદારો જાકારો આપી ગુજરાતનું ગૌરવ વધારે તેવી કઠલાલના નગરવાસીઓને અપીલ કરી હતી.
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ