Abtak Media Google News

કનૈયા ગ્રુપ બેડીપરા દ્વારા મહારકતદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પનાું આયોજન તા. 21-5 રવિવાર સવારે 9 થી 6 દરમ્યાન શીનળા માતાજી મંદિર, બેડીપરા, પટેલવાડી પાસે ભાવનગર રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. કેમ્પનો વધુ ને વધુ લોકો લાભ લે તેવી વિનંતી

Advertisement

જેમાં સહયોગી સંસ્થાઓ શ્રી શીતળા માતાજી મંદિર, શ્રી જીવણ ભગતની જગ્યા, બડા બજરંગ ફાઉન્ડેશન છે.આયુષ્યમાન કાર્ડ માટે જરુરી ડોકયુમેન્ટ, મામલતદાર નો આવકનો દાખલો, આધાર કાર્ડ, કુપન, ઘર મા જો કોઇનું આયુષ્યમાન કાર્ડ નીકળુ ગયુ હોઇ તો સાથે લાવવું અને ઓ.ટી.પી. માટે મોબાઇલ સાથે લાવવો.

આ ઉપરાંત મહારકતદાન કેમ્પનું આયોજન સીવીલ હોસ્પિટલ બ્લડ બેંકના સથવારે થેલેસેમીયા બાળકોના લાભાર્થે કરવામાં આવેલ છે. રકતદાન ખાસ કરવું હાલમાં રકતની ખુબ અછત છે.

રકતદાનમાં નામ નોંધાવવા અન્ય માહીતી માટે મો. નં. 95742 04807, 63532 07554, 97129 87600 ઉપર સંપર્ક કરવો.

કેમ્પ અંગે વધુ વિગત આપવા કાચભાઇ કુબાવત, રાધેશ્યામભાઇ દુધરેજીયા, ધવલગીરી ગોસ્વામી, વિજયભાઇ ટોયટા, જગદીશભાઇ જેસડીયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.