Abtak Media Google News

બગસરા સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષે

તા. ર1મીથી ર8 દરમિયાન લક્ષ્મીપ્રસાદ સ્વામી કથાનું રસપાન કરાવશે

બગસરા શ્રી સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં આમંત્રણ મહોત્સવ પુરૂષોતમ પ્રકાશ રાત્રી કથાનું તા. ર1 થી ર8 મે દરમિયાન રાત્રે 8.30 થી 11.00 વાગ્યા સુધી સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડ બાપા સીતારામ ચોક મવડી મેઇન રોડ પર આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન પૂ. સ્વામી વિવેકા સ્વરુપદાસજી કરાવશે. પોથીયાત્રા તા. ર1ને રવિવારે સાંજે 5 કલાકે શ્રી સ્વામીનારાયણ મંદીર ઉદય નગર ઓમનગર ચોક, 150 ફુટ રીંગથી નીકળી કથા સ્થળે પહોચશે. કથા દરમિયાન તા. ર7 મેના રોજ રાત્રે 10.00 કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન સરધારના નિત્યસ્વરુપદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળ રાધારમણ સ્વામી, વિવેકાસાગર સ્વામી, બાલાજી મંદિર રાજકોટ સહિતના સંતો મહંતો રાજકીય મહાનુભાવો ઉઘોગપતિઓ અને જાહેર જનતાને ઉ5સ્થિત રહેશે.

Advertisement

આમંત્રણ મહોત્સવ પુરૂષોતમ પ્રકાશી રાત્રી કથાના જાજરમાન આયોજન અંગે વધુ વિગત આપવા કલ્પેશ રંગાણી, હાર્દિક અકબરી, અરુણ પદમાણી એ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.