રાજકોટ જીલ્લાના જેતપુર, ધોરાજી તેમજ ગોંડલ તાલુકા તેમજ મોરબી તાલુકાના અંદાજે ૧૨૦૦ જેટલા ખેડુતોનો વર્ષ ૨૦૧૬નો પાકવિમો રાષ્ટ્રીયકૃત બેંકોની ભુલના કારણે મળી શકેલ ન હોય જેના માટે જેતપુરના જાગૃત ધારાસભ્ય અને કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ વિમા કંપની તેમજ બેંકો સામે લડત ચલાવીને તેમજ બેંકોને તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો આપીને તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વખતોવખત સચોટ રજુઆત કરીને પાકવિમો ખેડુતોના ખાતામાં વહેલી તકે જમા થાય એ માટેના સફળ પ્રયત્નોના ફળદાયી પરીણામ સ્વરૂપે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વિમાં કંપની ને વર્ષ ૨૦૧૬ નો પાકવિમો ચુકવી આપવા આદેશ કરેલ જેના ભાગરૂપે અંદાજે ૧૨૦૦ જેટલા ખેડુતોને તેમના ખાતામાં પાકવિમાની રકમ જમા થઈ ગયેલ છે જેનો શ્રેય જાગૃત ઘારાસભ્ય અને મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાને જાય છે. જયેશભાઈ રાદડીયાએ પોતાની આગવી કાર્યશૈલીથી પાકવિમો મંજુર કરાવીને છાશવારે ખેડુતોના હામી હોવાના નિવેદન કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરતા એમના વિરોધીઓની બોલતી બંધ કરી દિધેલ છે.
Trending
- અમારી વિનમ્રતાને અમારી નબળાઇ સમજવાનું દુ:સાહસ કોઇ કરશો નહીં: માંધાતાસિંહજી જાડેજા
- વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટની કાયાપલટની કામગીરી પૂર્ણતાના આરે
- ચારધામ યાત્રાને લઇ સરકારે ગાઈડલાઈન કરી જાહેર
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન