Abtak Media Google News

રવિભાણ સંપ્રદાય તેમજ મેઘવાળ સમાજના અનમોલ મોતી સમાન સંત હિરસાગરબાપા તે કબીરસાહેબ પરંપરામાં ૧૨મી પેઢીએ આરૂઢય છે. ગોંડલ તાલુકાનું બાંદરાધામના સંત ઉગારામબાપાના આદ્ય સદગુરુ તેવા સંત હિરસાગર બાપાની ૮૮મી પૂણ્યતિથી સાથે તેમના નાદબુંદ શિષ્ય પૂ.રામજીબાપા અને પૂ.દેવજીબાપાના મહાનિર્વાણ દિવસોને ગુરુપરંપરાની પ્રણાલિકા મુજબ વિશ્ર્વાસ ભકિતસભર કાઠીયાવાડ ભાટીયા બોર્ડીંગ ખાતે ખુબ જ હર્ષઉલ્લાસ સાથે સંપન્ન થયેલ હતી.

આ શુભપ્રસંગે અને નામી-અનામી સંતો મહંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને ગુરુભાઈઓ અને બહેનો આ પ્રસંગે હાજરી આપી પોતાને કૃતજ્ઞન્તા અનુભવેલ છે તથા ભજનીક વિજયભાઈ ચૌહાણ દ્વારા સંતવાણી દંતયજ્ઞનું આયોજન કરી દર્દીઓને વિનામૂલ્યે તપાસ સાથે દવાઓ આપવામાં આવેલ હતી. પુણ્યતિથી ઉત્સવ નિમિતે મહાઆરતીનું આયોજન કરેલ જેમાં પૂ.ગોરધનબાપા, પૂ.જેન્તીબાપા, પૂ.રશ્મીનબાપા, પૂ.ચીમનાજીબાપુ તથા પૂ.રામજીબાપા પરીવાર અને મુખ્ય અતિથી વિશેષ અંજલીબેન વિજયભાઈ રૂપાણી, રાજકોટ મ્યુ.કોર્પોરેશનના મેયર બીનાબેન આચાર્ય, ભાજપ પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કોર્પોરેટર રાજુભાઈ અઘેરા સહિતનાઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.