રાજકોટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી મેચ થવા જઈ રહી છે. ગુજરાતના આ શહેરનાં બે લાડકા દીકરા ચેતેશ્વર પુજારા અને રવિંદ્ર જાડેજા ભારતીય ટીમનો ભાગ નથી. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ પુજારાને આજસુધી ક્યારેય ભારત માટે એકપણ ઝ૨૦ મેચ રમવાની તક મળી નથી. જો કે પુજારા ટીમમાં નથી પરંતુ તે સ્ટેડિયમમાં એક ખાસ કામ કરતો જરુર નજરે પડશે.પુજારાને ગુજરાત ચૂંટણી પંચે આગામી વિધાનસભા ચૂંટણી માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પુજારા પર જવાબદારી છે કે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરે. આવામાં ચેતેશ્વર સ્ટેડિયમમાં હાજર રહીને પોતાની ટીમને ચીયર પણ કરશે અને એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ