Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે અવસાન પામેલા રાજકોટશહેરના વોર્ડ નં-૮ના ભા.જ.પ. કાર્યકર રમેશભાઇ તાળાના શોકસંતપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. અને અણચિંતવી આવી પડેલી આપત્તિ બદલ શોકની લાગણી દર્શાવી હતી.

Shri Ramesh Tala Shradhanjali 1પંચવટી સોસાયટી મેઇન રોડ પર આવેલા રમેશભાઇ  તાળાના નિવાસસને રૂબરૂ જઇને મુખ્યમંત્રી  રૂપાણીએ રમેશભાઇના ધર્મપત્નિ  શ્રીમતિ કાજલબેન, પુત્રી ધારા તથા પુત્રો માનવ અને વરૂણને દિલસોજી પાઠવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે રમેશભાઇ તાળાને શ્રધ્ધાંજલિ  આપવામેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ધારાસભ્યો  ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણીઅને  લાખાભાઇ સાગઠિયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ભા.જ.પ.મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા તથા ડો. ભરત બોઘરા, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધૃવ, રમેશભાઇ રૂપાપરા,  વગેરે  જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.