કોરોનાની મહામારીના પગલે લોકડાઉનના તબકકા પૂરા થયા બાદ અનલોકના પ્રથમ ચરણમા સરકારી કામગીરી શરૂ થતા બહુમાળીમાં જાતી આવકના દાખલા માટે લોકોની ચીકકાર લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટીંગ અને સાવચેતીનાં પગલાના લીરેલીરા ઉડાડયા હતા કોરોના વાયરસને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક હોય છે. ત્યારે બહુમાળીની કામગીરી શરૂ થતાની સાથેજ અરજદારોનાં ટોળા ઊમટી પડયા હતા ‘ન કરે નારાયણ’ કે કોઈ કોરોનાગ્રસ્ત અરજદાર આ ટોળામાં સામીલ થઈ જાય તો જાતી-આવકના દાખલાની કામગીરી ઠપ્પ થઈ જવા સુધીની ભીતી રહી છે. જે માટે બહુમાળી કર્મચારીના અરજદારોએ ટોકન સિસ્ટમ અથવા કોઈ પધ્ધતિ સુનિશ્ર્ચિત કરી ઓછા પ્રમાણમાં અરજદારોને એકઠા કરવા અને આવતા અરજદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે સિકયુરીટીએ પણ ધ્યાન રાખવાની માંગ ઉઠી રહી છે. (તસવીર: માનસી સોઢા)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ