Abtak Media Google News

રવિવારે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમમાં ધો.૧ થી ૧ર તેમજ કોલેજ કક્ષાના તેજસ્વી વિઘાર્થીઓને સન્માનીત કરાશે. આ કાર્યક્રમના આયોજન સાથે આયોજકો અબતકને આંગણે

ચુંવાળીયા કોળી વિઘાર્થી ભુવન રાજકોટ દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુંવાળીયા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ રવિવારે બપોરના ર થી ૭ કલાક દરમ્યાન અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ પેડક રોડ, સેટેલાઇટ ચોક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તમામ વિઘાર્થીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, ચુંવાળીયા કોળી વિઘાર્થી ભુવનના આજીવન સભ્યો: સંત વેલનાથ સમુહ લગ્ન સમીતીના  સમીતીના હોદેદારો સંત વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમીતીના હોદેદારો તથા કાર્યકરો સમયસર સ્થળ પર હાજરીમાં તેજસ્વી  તારલાઓને સન્માનીત કરાશે આ તકે આયોજકો મનસુખભાઇ વાઘેલા, રાજુભાઇ પંચાસરા, જેન્તીભાઇ બોરીચા, વિજયભાઇ મેથાણીયા, સુભાષભાઇ અધોલાએ અબતકની મુલાકાતે લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ચુંવાળીયા કોળી વિઘાર્થી ભુવન દ્વારા આયોજીત તેજસ્વી તારલાઓના સરસ્વતી સન્માન સમારંભનું જ્ઞાતિજનોના સહકારથી આયોજન કરવામાં આવેલ છે. આ સન્માન સમારંભમાં ધો. ૧ થી ૧ર તેમજ કોલેજ કક્ષાના તેજસ્વી વિઘાર્થીઓને સંતો મહંતોની હાજરીમાં સન્માનીત કરવામાં આવશે.આ સન્માન સમારંભમાં સંતોના આશિવચન આપશે અને આમંત્રિત મહેમાનો તથા ગામે ગામના સરપંચો ખાસ ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.