Abtak Media Google News

કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો: લોકસભા બેઠક ઉપર પગદંડો જમાવવાની સાથે ૨૦૨૦માં મહાપાલિકામાં બહુમતી હાંસલ કરવાનો નિર્ધાર

કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં કોંગી કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકારો ઉમટી પડયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં લોકસભા બેઠક પર પગદંડો જમાવવાની સાથે ૨૦૨૦માં મહાપાલિકામાં બહુમતી હાંસલ કરવાનો સર્વે દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો હતો.Vlcsnap 2019 02 13 11H17M21S163

Advertisement

તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોકભાઈ ડાંગરની નિયુકિત કરવામાં આવી હતી. આ નિયુકિતથી કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે ત્યારે નવનિયુકત પ્રમુખ અશોકભાઈ ડાંગરે કોંગ્રેસના કાર્યકરોના સ્નેહમિલનનું ભવ્ય આયોજન કર્યું હતું.Vlcsnap 2019 02 13 11H17M39S84

જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ જિલ્લાના કોંગી કાર્યકરો ઉમટી પડયા હતા. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ પણ વિશાળ સંખ્યામાં આ સ્નેહમિલનમાં હાજરી આપી હતી. આ તકે અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે લોકસભાની ચુંટણીમાં સક્રિય થઈને પગદંડો જમાવશે.

ત્યારબાદ ૨૦૨૦માં આવનારી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં પણ કોંગ્રેસ બહુમતી હાંસલ કરશે. લોકસભાની ચુંટણી પૂર્વે આયોજીત કોંગ્રેસી કાર્યકરોના સ્નેહમિલનના કાર્યક્રમથી કાર્યકરો તેમજ આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે કાર્યકરોએ પણ ચુંટણીમાં એડીચોટીનું જોર લગાવવાનો નિર્ધાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.