Abtak Media Google News

રાજ્યના કુલ 27 શહેરમાં હવે 29મી સુધી રાત્રિ સંચાર લેવી: હોટલ રેસ્ટોરન્ટને હોમ ડિલિવરીની 24 કલાક છૂટ

અબતક ,રાજકોટ

Advertisement

કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા સૌરાષ્ટ્રના આઠ શહેરોમાં આજથી રાજ્ય સરકાર દ્વારા આગામી 29મી સુધી રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદી દીધો છે. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર અને કાલાવડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુની અવધી એક સપ્તાહ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આટલું જ નહીં હાલ માત્ર આઠ મહાનગર પાલિકા વિસ્તાર અને આણંદ તથા નડિયાદ એમ કુલ 10 શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં હતો પરંતુ જે 17 શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યાં આજથી 29મી સુધી રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. જો કે હોટલ્સ અને રેસ્ટોરન્ટનો હોમ ડિલીવરી માટે 24 કલાકની છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થઇ હતી તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા.29 જાન્યુઆરી સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં  તારીખ 22મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે. હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર4 કલાક ચાલુ રાખી શકાશે.

દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુર્જરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લી રાખી શકાશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ઉઈંૠઈંઝઅક ૠઞઉંઅછઅઝ ઙઘછઝઅક પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધી મહત્તમ 100 (એકસો) વ્યક્તિઓની મંજૂરી મળશે. અગાઉનું જે જાહેરનામુ હતું તે યથાવત રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.