Abtak Media Google News

હાલમા જ ચોટીલા શહેરમા રહેતી લોહાણા સમાજની એક સગીરાને ધવલ ત્રીવેદી નામનો લંપટ ભગાડી ગયો હતો આ ધવલ ત્રિવેદી નામનો શખ્સ અગાઉ પણ ગંભીર ગૃન્હામા સંડોવાયેલ હતો જે બાદ પેરોલમા હોવાથી ચોટીલાની સગીરાને ભગાડી જતા લોહાણા સમાજના આગેવાનો દ્વારા વિરોધ્ધ કરાયો હતો

જોકે સગીલાને ભગાડી જતાની સાથે આ શખ્સ વિરુધ્ધ સગીરાના અપહરણની ફરીયાદ નોંધી હતી પરંતુ ફરીયાદને અનેક દિવસો વિતી ગયા છતા હજુ સુધી ધવલ ત્રિવેદી તથા અપહરણ કરાયેલ સગીરાની ભાળ હજુ સુધી નહિ મળતા હવે લોહાણા સમાજના લોકો ન્યાય માટે આગળ આવ્યા છે જેથી ધ્રાગધ્રા લોહાણા સમાજના લોકો દ્વારા સગીરાને પાછી લાવવા તથા સગીરાના પિતાને ન્યાય અપાવવા માટે સાથે જ આ લંપટ ધવલ ત્રિવેદી નામના શખ્સને પોલીસ દ્વારા તુરંત પકડી પાડવાની રજુવાત સાથે ધ્રાગધ્રા ડે.કલેક્ટર પજ્ઞાબેન મોણપરાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ જેમા ધ્રાગધ્રા લોહાણા સમાજના આગેવાન સંજયભાઇ ગોવાણી, સી.સી ઘેલાણી, હસુભાઇ ચંદારાણા સહિતનાઓ ઉપસ્થિત રહી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી પોલીસ દ્વારા સચોટતાથી નિષ્ઠાપુવઁક કામગીરી કરી શક્ય હોય તેટલા જડપી સગીરાને મુક્ત કરાવી તોના પરીવારજનોને સોપવા માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.