Abtak Media Google News

શ્રી નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીગ્સ) તથા અબતક મીડિયા દ્વારા યોજાયો કેમ્પ

ગુજરાત સહિત દેશભરમાં સ્વાઈન ફલુના રોગચાળાએ કાળા કહેર મચાવ્યો છે ત્યારે આ મહામારીથી લોકોને બચાવવા માટે રાજકોટના શ્રી નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. હાલ ગામે ગામે સ્વાઈન ફલુ સામે રક્ષણ આપતા ડોઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સિદસરમાં કેમ્પ યોજાયો હતો.

સિદસર ખાતે યોજાયેલા કેમ્પ બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃધ્ધો મોટી સંખ્યામાં ડોઝ લેવા માટે ઉમટી પડયા હતા અને શ્રી નેમીનાથ ટ્રસ્ટ તથા ‘અબતક’ના અભિયાનની પ્રશંસા કરી હતી આજ સુધીમાં લાખો લોકો સ્વાઈન ફલુના ડોઝ લઈ આ વૈશ્ર્વિક મહામારી સામે સુરક્ષીત બન્યા છે. સિદસર ખાતે માં ઉમીયાના સાનિધ્યમાં યોજાયેલા કેમ્પમાં અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.