Abtak Media Google News

રાત્રીનાં સમયે પોલીસનું સઘન પેટ્રોલીંગ કરાવવા તેમજ આવારા તત્વો સામે કડક પગલા લેવાની માંગ

સુરેન્દ્રનગર શહેરમાં દાળમીલ રોડ ખાતે મીલવાળાના બંગલાની સામે સોનાની વાડીની બાજુમાં આવેલ હનુમાનજીના મંદિર બહાર આવેલી ઋષિમુનીઓની બે મુર્તિઆે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખંડિત કરવામાં આવેલ હોય અને જે અંગે સુરેન્દ્રનગર શહેરની સુલેહ અને શાંતિનો ભંગ ન થાય અને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એવું આ મંદિરની બહાર આવેલી મુર્તી તોડી પડાતા ત્યાં રહેતા રહેવાસીઓમાં રોષની લાગણી ઉત્પન્ન થઈ છે.

તેમજ આજથી આશરે એક મહિના પહેલા પણ આ જ હનુમાનજીના દાદાનું ચાંદીનું હાર અને દાનપેટીમાંથી ચોરી થઈ ચુકેલી છે. જેથી સ્થાનિકોએ કલેકટરને રજુઆત કરી જણાવ્યું કે, જે કોઈ ઈસમે આ કામ કરેલ છે તેને જલદીથી જલદી પકડી પાડવામાં આવે તેમજ આવો બનાવ ફરી ન બને તે માટે રાત્રે પોલીસ પેટ્રોલીંગ કરવું જો યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો ચુંટણીના સમયે આચારસંહિતાના સમયે શહેરની શાંતી ડહોળાઈ તેવી શકયતાઓ રહેલી છે માટે આ શાંતી ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.