Abtak Media Google News

બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અનેક વિસ્તારોમાં ગત દિવસોમાં આકાશી વીજળી પડવાને કારણે ૧૧૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના છે. પરંતુ આ સાલ બિહાર યુ.પી જેવા પ્રદેશોમાં આકાશી વીજળીએ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને લીધે અત્યાર સુધીમાં દેશના ફક્ત ત્રણ રાજ્યોમાં જ ૧૧૦ લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. આ તમામ મૃતકોને પૂજ્ય મોરારિબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનોને પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવી રહી છે. બિહાર તેમજ ઉત્તરપ્રદેશ વિસ્તારના રામકથાનાં શ્રોતાઓ દ્વારા આ સહાય પહોંચાડવામાં આવશે. આ સહાયની કુલ રાશી સાડા પાંચ લાખ થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.