Abtak Media Google News

સાયલાનાં ધજાળા ગામે અંતિમ શ્વાસ લીધા: રાજકિય નેતાઓ અને અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાયા

સુરેન્દ્રનગર જીલ્લા ના એક સમય ના અગ્રણી કોંગ્રેસ ના રાજકીય નેતા તથા એક વર્ષ ચોટીલા સાયલા ના ધારાસભ્ય તરીકે અને ૧૩ મી લોકસભા માં સુ.નગર જીલ્લા ના સાંસદ તરીકે જીલ્લા ની બાગડોર સંભાળનાર સવસીભાઇ મકવાણા એ ધજાળા ગામના તેમના ઘરમાં અંતિમ શ્વાસ લેતાં ઘેરો શોક ફેલાયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લા માં એક જમાના માં રાજકીય તખ્તો ગજાવનાર અને પોતાના ખેલદીલ સ્વભાવ થી બધા નો પ્રેમ પ્રાપ્ત કરનાર અને ૧૯૯૮ -૯૯ માં એક વર્ષ સુધી ચોટીલા સાયલા ના ધારાસભ્ય અને ૧૩ મી લોકસભા માં ૧૯૯૯ થી ૨૦૦૪ સુધી સુ.નગર જીલ્લા ના સાંસદ તરીકે સતા પ્રાપ્ત કરનાર તથા કોંગ્રેસ ના પીઢ નેતા સ્વ.કરમશીભાઇ મકવાણા ના લઘુબંધુ અને સાયલા તાલુકા ના ધજાળા ગામના વતની અને કોંગ્રેસ ના પીઢ અગ્રણી તથા ધજાળા લોકશાળા સંસ્થા ના પ્રમુખ સવસીભાઇ મકવાણા ( ઉ.વ.૮૭) એ મંગળવારે રાતે ધજાળા માં તેમના ઘરે આખરી શ્વાસ લીધાં હતાં.

આ બનાવ ની જાણ થતાં રાજકીય અગ્રણીઓ , વિવિધ શાળાઓ ના સંચાલકો , કોંગ્રેસ ના કાર્યકરો ને   થતાં તેમની અંતિમ યાત્રા માં ભાગ લીધો હતો. સવસીભાઇ ના અવસાન થી તેમના પુત્ર હેમંતભાઇ મકવાણા , પુત્રી જયાબહેન , હસુબહેન તથા મધુબહેન સહિત સમગ્ર મકવાણા પરિવાર તથા ચોટીલા સાયલા ના કોંગ્રેસ ના અગ્રણીઓ કાર્યકરો માં ઘેરો શોક ફેલાયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.