Abtak Media Google News

મોઢા, ગળા, જડબા સહિત તમામ પ્રકારના કેન્સરનું ડો. દુષ્યંતભાઈ માંડલિક અને ડો.પરીન પટેલ કરશે નિદાન

શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય , શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત   પુજીત રૂપાણી મેમો . ટ્રસ્ટ , રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ (HcG) નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એકદસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાચવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે ” કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ” હાથ ધરાયો છે . હું કૃ પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે .

પરિણામે તેમનો અમદાવાદ જવાઆવવાનો ખર્ચતથા સમય બચી જશે . જે અંતર્ગત તા .24  શનિવારના રોજ કેન્સર નિષ્ણાંત ડો . દુષ્યંતભાઈ માંડલીક   પુજીત રૂપાણી મેમો સ્ટ ” કિલ્લોલ ” , 1 – મયુરનગર , રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે , ભાવનગર રોડ , રાજકોટ ( ફોનનં .2704545 ) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે . જેનો સમય સવારે 9 થી 10 વાગ્યા સુધીનો રહેશે. રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.દુષ્યંતભાઈ માંડલિકતથા ડો.પરીન પટેલ સેવાઓ આપશે . જે અંતર્ગત મોં , ગળું , જડબાં સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે . જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન   વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી  અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

વર્તમાન  સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી  રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો

વિનામૂલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી  બચાવી શકાય તે માટે  હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ. સૌરાષ્ટ્ર તથા કચ્છના  પ્રજાજનો નિશ્ર્ચિત બની શકશે.

ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરૂરિયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે   પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં OPD સેન્ટર પણ કાર્યરત છે . જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે , દર બુધવારે સવારે 9 થી 12 વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે . આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી , એકસ – રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાંચેરમેન  વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ  પ્રવિણભાઈ રૂપાણી ,  અંજલિબેન રૂપાણી રંજનબેન રૂપાણી  મહેશભાઈ ભટ .  મેહુલભાઈ રૂપાણી , રાજેશભાઈ રૂપાણી તથા  અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેક્ટમાં સેવા આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના  અંજલિબેન રૂપાણી ,  મહેશભાઈ ભટ્ટ , ડો.જૈમનભાઈ ઉપાધ્યાય , ડો.નયનભાઈ શાહ , ડો. વિભાકરભાઈ વચ્છરાજાની , દિવ્યેશભાઈ પટેલ તથા  બિપીનભાઈ વસા કાર્યરત છે.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો  પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 / 27010098  સંપર્ક સાધવ જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.