Abtak Media Google News

કળયુગમાં લોહીના સંબંધને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. સગી પુત્રીને વાસનાંધ બનેલા પિતાએ છ માસ સુધી અવાર નવાર હવસનો શિકાર બનાવ્યાની પાટણવાવ પોલીસમાં ફરિયા નોંધાતા હવસખોર પિતા પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. હવસખોર પિતાની પ્રથમ પત્નીના મોત બાદ પુન: લગ્ન કર્યા હતા. બીજી પત્ની રિસામણે જતાં સગીર પુત્રીને પીખી નાખ્યાની સભ્ય સમાજ માટે શરમ જનક ઘટનાથી સનસનાટી મચી ગઇ છે.

Advertisement

પાટણવાવના લાઠ ગામે સભ્ય સમાજનું શરમથી માથું ઝુકે તેવી ઘટનાથી હવસખોર પિતા પર સર્વત્ર ફિટકાર

પ્રથમ પત્નીના મોત બાદ પુન: લગ્ન કર્યા પરંતુ પત્ની રિસામણે જતા પુત્રીને વાસનાંધ બનેલા પિતાએ પીખી નાખી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટણવાવ ગામે રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા શૈલેષ  રસિકભાઇ રાઠોડ સામે તેની પ્રથમ પત્નીની 17 વર્ષની સગીર પુત્રીએ છેલ્લા છ માસથી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શૈલેષ રાઠોડની પ્રથમ પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યા બાદ અવસાન થયું હોવાથી તેને બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ બે પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ સાથે મનદુ:ખ થતા દોઢેક વર્ષ પહેલાં પોતાની એક પુત્રી સાથે પોતાના પિયર રિસામણે જતી રહી છે.છેલ્લા દોઢેક વર્ષથી પત્ની ન હોવાથી પોતાની પ્રથમ પત્નીની 17 વર્ષની પુત્રી પર સગા પિતાએ નજર બગાડી હતી અને ઘાક ધમકી દઇ બળાત્કાર ગુજાર્યા બાદ છેલ્લા છ માસ દરમિયાન અવાર નવાર વાસનાનો શિકાર બનાવ્યાની હવસખોર પિતા સામે સગી પુત્રીએ ફરિયાદ નોંધાવતા પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એમ.ચાવડા અને રાઇટર ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે શૈલેષ રાઠોડ સામે બળાત્કાર અને પોકસો અંગે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.