Abtak Media Google News

ગોંડલ માં અનરાધાર વરસાદ પડયો હોય  જેતપુર રોડ પર આવેલા અજંતાનગર વિસ્તાર માં એટલીહદે કાદવ કીચડ સર્જાતા લોકોને ચાલવુ કે વાહન ચલાવવુ મુશ્કેલ બનતા આમઆદમી પાર્ટીના અગ્રણી નિમિષાબેન ખુંટ અજંતાનગર દોડી ગયા હતા અને લોકોની કફોડી હાલત જાણી નગર પાલીકા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.વરસાદ ને કારણે કાદવ કીચડ થયો હોય બાઇક પણ ચાલી શકતા નથી,સ્કુલ વાહનો અંદર આવતા નથી,શાકભાજી ની લારીઓ પણ અંદર આવતી ના હોય અજંતાનગર વાસીઓ ની હાલત કફોડી બની છે.

કોઈ વ્યક્તિ બિમાર પડે તો હોસ્પિટલ કઇ રીતે પહોંચાડવા તેવા સવાલો ઉઠવા પામ્યા છે.મોરમ ને બદલે તંત્ર દ્વારા ગોરમટા જેવી માટી નાખી હોય સમસ્યા માં વધારો થયાનું આ વિસ્તાર ની મહીલાઓ એ જણાવ્યું હતુ.નિમિષાબેન ખુંટે અજંતાનગરની સમસ્યા ને સોશ્યલ મિડિયા માં દવારા લાઇવ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.