Abtak Media Google News

જયાંજયાં વસે એક ગુજરાતી ત્યાંત્યાં સદાકાળ ગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસે રાજ્યના નાગરિકોને પાઠવેલા સંદેશમાં ગુજરાતની ગરિમામય વિકાસયાત્રાને સૌના સહયોગી વધુ તેજોમય બનાવવા પ્રેરક આહવાન કર્યું છે.

તેમણે સૌ ગુજરાતી ભાઇઓ-બહેનોને ગુજરાત સપના દિવસની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું છે કે આ સરકાર બધાનો આધાર બને એવા સર્વગ્રાહી વિકાસના કામો સો નયા ભારતના નિર્માણમાં નયા ગુજરાતના નિર્માણી યોગદાન આપીએ. વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જનશકિતને જોડાઇને ભાવિ પેઢી માટે જળ સુરક્ષા-સંવર્ધનની પ્રેરણા આપી છે.

તેઓએ સપના દિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભાઇઓ-બહેનો, જેની પરિપાટીએ આપણને અલગ રાજ્ય તરીકેનું ૧૯૬૦માં અસ્તિત્વ મળ્યું તે ‘મહાગુજરાતની ચળવળ’  ગુજરાતની સંઘર્ષ યાત્રામાં શિરમૌર છે. ગુજરાતનું ખમીર અને ઝમીર ઇતિહાસની અટારીએ આજે પણ ચિર પ્રકાશિત જોઇ શકાય છે. દિસે અરૂણુ પ્રભાત- જય જય ગરવી ગુજરાત-એ નારા સો મહાગુજરાત આંદોલનના પ્રણેતા પૂજ્ય ઇન્દુચાચાના નેતૃત્વમાં અનેક દુધમલ યુવાઓએ મોત વ્હાલું કરી ગુજરાતના લડાઇ લડી હતી.

આ આંદોલનની સફળતાને પગલે ૧ મે ૧૯૬૦ એ ગુજરાત બૃહદ મુંબઇ રાજ્યમાંથી અલાયદા રાજ્ય તરીકે ભારતના નકશે સન પામ્યું. જ્યારે ગુજરાત મુંબઇ રાજ્યી અલગ પડયું ત્યારે સૌના મનમાં દ્વિધા હતો કે આ ગુજરાત શું કરશે? ના એની પાસે પાણી છે, ના ખાણ-ખનીજ છે, ના ઉદ્યોગો કે મોટા કારખાના છે. વિશાળ રણનો ખારોપાટ અને ઘૂઘવતો દરિયો જ છે. આના સહારે ગુજરાત કાંઇ નહિં કરી શકે એવું સૌને લાગતું હતું. કદાચ એ વેળાએ તેમની ચિંતા પણ સાચી હશે. પરંતુ વીર કવિ નર્મદની પંકિતઓ “ડગલું ભર્યું કે ના હટવું,ના હટવુંને જ ગરવા ગુજરાતના ભાગ્યનિર્માણનો મંત્ર બનાવ્યો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ, ઇન્દુચાચા. જેવા અનેક લોકોના અવિરત પરિશ્રમની પરાકાષ્ટાી આપણા ગુજરાતની સાડા પાંચી વધુ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર પાડી શક્યા.

ગુજરાતમાં વિકાસની રાજનીતિનો એક નવો જ અધ્યાય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં રચાયો છે. છેવટે તો વિકાસના કેન્દ્રસને સામાન્ય માનવી દલીત, પીડિત, શોષિત, ગરીબ, વંચિત વર્ગ જ છે. એ વાત ગુજરાતે ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રી પ્રસપિત કરી છે. આજે વિશ્વ આખામાં ગુજરાતના વિકાસના વાવટા લહેરાય છે.

આજે રાજનીતિનું કલેવર બદલાયું છે. માત્ર સત્તા ચલાવવા માટે અમે કામ ની કરતા. અમારે તો રાજ્યના ખૂણે-ખૂણાનો વિકાસ કરવો છે. જ્યાં માનવી ત્યાં સુવિધા. વ્યા નહિં પરંતુ, વ્યવસ આપવાનો ભેખ અમે લીધો છે. સત્તાના આટાપાટા ખેલવાની સંસ્કૃતિ અમારી નથી.  સત્તાને સેવાનું માધ્યમ બનાવી જનતાની સુખાકારીમાં સતત વધારો કરવાનો મદદરૂપ વાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. સૌનો સમ્યક-સમતોલ વિકાસ થાય એ દિશામાં જનહિતના નિર્ણયો-કલ્યાણકારી પગલાંઓ પ્રમાણિકતાી અમે લઇ રહ્યા છીએ.

ગુજરાતને આજે વિશ્વભરમાં ગ્લોબલ ગેટ વે ઓફ ઇન્ડીયા તરીકે જોવાઇ રહ્યું છે.  બે દશક પહેલાં ગુજરાતમાં કોઇ પણ શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત જ કરી શકાય એમ ન હતી. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ર૩ જેટલી પ્રોત્સાહક પોલીસીના અમલી આજે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. ગુજરાત મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ ગણાય છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસઓ-સ્ટોક-શેર માર્કેટના કારોબાર પણ સાબરમતીના તટ ઉપર હાઇટેક ગ્લોબલ ફાયનાન્સિયલ અને આઇ.ટી. હબની ગિફટ સિટીમાં થાય છે. આજે ઇન્ટરનેશનલ બિઝનેસ ત્યાં સપિત થયો. ગિફટ સિટીમાં જે નાણાંકિય સંસઓની ગતિવિધિઓ થઇ રહી છે તે આવનારા દિવસોમાં લાખો યુવાઓને નાના-મોટા રોજગારના અવસર આપશે. ધોલેરાને ઇન્ટરનેશનલ બિઝનેસ એકટીવીટી હબમાં આપણે નવા નવા પ્રકલ્પો ઉપાડયા છે, અને આપણે સોલાર પાર્ક દ્વારા દુનિયામાં ૫,૦૦૦ મે.વોટ; સૌથી વધુ સોલાર પાવર જનરેશન ધોલેરામાં ઉભા કરવાના છીએ. સિંગાપોર કરતાં દોઢ ગણા વિસ્તારમાં ધોલેરાનો એસઆઈઆર આકાર પામશે. વાયબ્રન્ટ સમિટમાં આવનારા ઉદ્યોગો સમક્ષ ધોલેરાને શો-કેસ કરીને આપણે વાયબ્રન્ટ ઇકોનોમીથી ધોલેરા-ભાવનગર-પીંપળીના સમગ્ર પટ્ટાને રોજગાર-ઉદ્યોગી ધમધમતા કરવા છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ૩૩ ટકાનું મૂલ્યવર્ધન થયું છે. ર૦૧૩થી ૧૭ ના ચાર જ વર્ષમાં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ પણ ચાર ગણું વધ્યું છે.

ઔદ્યોગિક ગતિ-પ્રગતિ સાથે ગુજરાત હવે પ્રવાસન પ્રેમીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશના એવરેજ ટુરિઝમ ગ્રો કરતાં ગુજરાતનો ટુરિઝમ ગ્રો લગભગ ડબલ થયો છે. સાડા ચાર કરોડ પ્રવાસીઓ ગયા વર્ષે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગરીબમાં ગરીબ માનવીને, છેવાડાના વિસ્તારના નાગરિકને આપણે પ્રવાસન દ્વારા રોજી-રોટી આપી રહ્યા છીએ.

ભાઇઓ-બહેનો, ઉદ્યોગો વિકસે, સાોસા ખેડૂત-ખેતી સમૃદ્ધ બને ખેડૂત સમૃદ્ધ તો ગામડાં સમૃદ્ધ, ગામડાં સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ આ પ્રકારના કૃષિ વિકાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા બે દાયકાી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિઝીટમાં રહ્યો છે. રાજ્યનો વાવેતર વિસ્તાર ૧રપ લાખ હેકટર કરી રહ્યા છીએ. ઓછા પાણીએ વધુ પાક માટે પરડ્રોપ મોર ક્રોપ ડ્રીપ અને માઇક્રો ઇરીગેશની ૧પ લાખ હેકટરને ઓછા પાણીના ઉપયોગ થી સિંચાઇ સુવિધા મળે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

આ સરકાર ખેડૂત અને ખેતી બન્નેની દરકાર લેતી સંવેદનશીલ સરકાર છે. ખેડૂતોને સિંચાઇની સુવિધા આપવા માટે નર્મદા મૈયાના પાણી કેવડીયાી છેક કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજના દ્વારા આપણે કરી રહ્યા છીએ. આપણે થોડાક સમયમાં સૌની યોજનાના કામ પૂર્ણ કરીને ૧૧૫ થી વધુ જળાશયોને મા નર્મદા સાથે જોડી રહ્યા છીએ. જગતનો  તાતને તેના પાકના પૂરતા પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. કિસાનોને સહી દામ એ અમારૂ સ્લોગન છે. પ હજાર કરોડી વધુ રકમની ટેકાના ભાવી આ વર્ષે મગફળી, રાયડો, ચણા, ડાંગર, ઘઉં જેવી અનેક ખરીદી સરકારે મોટા પાયે કરી છે. ઝીરો ટકા વ્યાજ આપીને ખેડૂતોને પાક ધિરાણ આપણે આપીએ છીએ, જેથી ખેત પ્રોડકશન કોસ્ટ નીચે આવે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. પશુપાલન કરતા પશુપાલકોના પશુઓ-ઢોર ઢાંખરની ચિંતા કરીને બજેટમાં મોટી જોગવાઇ કરી છે. ધરાવતા પશુઓની સારવાર માટે કરૂણા એમ્બુલન્સ. માનવી માટે એમ્બુલન્સ તો પશુ માટે પણ એમ્બ્યુલન્સ-એવા ભાવી એમ્બ્યુલન્સની વ્યવસ ઉભી કરી છે. જળ વ્યવસપન અને જળ સંચય માટે મહત્વના પાસાઓને આગળ વધારી રહ્યા છીએ. આગામી ચોમાસા પહેલાં ૧લી મે થી ૩૧-મે દરમિયાન આપણે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડવાના છીએ તળાવો ઊંડા કરવા, તળાવોના આવરાઓ સાફ કરવા, નદીઓ જે મૃતપાય છે તેને જીવંત કરવી, કેનાલ નેટવર્કની સફાઇ, નદીઓને સાફ-સુરી કરવી અને જ્યાં પણ લીકેજીસ છે તે બધા દૂર,  કરી પાણીની કરકસર કરવા પાણી બચાવવા, રીચાર્જીગ, રીસોર્સીસ, રીડ્યુસ આ પ્રકારની તમામ વ્યવસ પાણી વ્યવસપન માટે કરી રહ્યા છીએ.

આવો, આપણે પ૮માં ગુજરાત ગૌરવ દિવસે સૌ સાથે મળીને આ સુજલામ સુફલામ જળ અભિયાનને સફળ બનાવવા સમગ્ર ગુજરાતની જનતા અને સરકાર સો મળીને આ પ્રકારનું શ્રમદાન કરીને શ્રમદાનની સો તન-મન-ધનની મદદી આ અભિયાનને સફળ બનાવીએ. પરમેશ્વરના પ્રસાદ સમાન પાણીને આપણી ભાવિ પેઢી માટે સુરક્ષિત-સંવર્ધિત કરીએ. ગુજરાતમાં જોડીયા પાસે લગભગ ૬૦૦ થી ૭૦૦ કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી ડિ-સેલિનેશન પ્લાન્ટ સપીત કરી રહ્યા છીએ, એને સફળતા મળશે તો કાયમ માટેનો દુષ્કાળ ભૂતકાળ બનાવવા સરકાર આગળ વધી રહી છે. આના દ્વારા વોટર સિકયુરીટી સુનિશ્ચિત કરવી છે. ખેતીવાડી અને પીવાના પાણીની તંગીની સમસ્યા ન રહે તે માટે અમે પ્રતિબદ્ધ છીયે.

આ વખતના ઉનાળામાં મધ્યપ્રદેશમાં ઓછો વરસાદના કારણે ગુજરાતમાં મા નર્મદાનું પાણી ઓછું આવ્યું, છતાં સુવ્યવસ્તિ આયોજનોને કારણે આપણે કોઇને તકલીફ ન પડે, ગામડું હોય કે શહેર હોય બધે થય આપણે પીવાના પાણી, વાપરવાના પાણીની પૂરતી કાળજી અને વ્યવસ કરી છે. જેને કારણે આ સંકટને બધાના સા-સહકારી પાર પાડીને આપણે આગળ વધી રહ્યા છીએ. હવે દોઢ મહિનો સુવ્યવસ્તિ અયોજન કરી લઇએ અને પછી નવા ચોમાસાી આપણે નવી દિશાામાં આગળ વધીશુંઆવનારા દિવસોમાં ગુજરાતનો શૈક્ષણિક વિકાસ, આરોગ્યમાં વિકાસ સહિત તમામ પ્રકારના વિકાસના કામો; પછી સામાજિક ક્ષેત્રના હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચરના હોય, પરંતુ વંચિત, પીડિત, શોષિત, ગરીબ, ગામડું, આ બધાને ધ્યાને રાખી આપણે સંતુલીત રીતે આગળ વધવું છે. સરકારે આ વખતના બજેટમાં તમામ વસ્તુઓને આવરી લઇને કીડીને કણ અને હાીને મણ એ પ્રકારની યોજનાઓનો લાભ આપ્યો છે. પછી એ વનબંધુ હોય, અનુસૂચિત જાતિ હોય, પછાત વર્ગના લોકો હોય કે પછી થીઓ હોય કે બાળકો હોય, વૃદ્ધ હોય કે પછી દિવ્યાંગ હોય, બધા માટે આ સરકાર બધાનો આધાર બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

ગુજરાતનો વિકાસ એટલા માટે થઇ રહ્યો છે કે, સૌનો સા સૌનો વિકાસ. પરંતુ કમનસીબે ગુજરાત વિરોધી લોકો ગુજરાતમાં સામાજિક સમરસતા તૂટે, સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ગુજરાતની શાણી જનતા ખૂબ બેલેન્સ રાખે. તોડવાનું કામ કરનારા લોકોને કહેવું પડે કે, આ અડીખમ ગુજરાતને અમે ધીરું નહીં થવા દઇએ. આ પ્રકારની આખી સમજણ સાથે આપણે સૌ ગુજરાતીઓએ આ વસ્તુનો વિચાર કરવો પડશે.

ભાઇઓ-બહેનો, ગરીબો માટે આ સરકાર કાર્યરત છે. સસ્તી દવા, એટલે કે નરેન્દ્રભાઇ કહે છે કે. ‘પઢાઇ, કમાઇ ઔર દવાઇ’ – આ ત્રણ વસ્તુ પર ભાર આપી રહ્યા છીએ. સસ્તું શિક્ષણ મળે અને એટલા માટે જ આપણે ફી નિયમનનો કાયદો લાવ્યા છીએ. બધાને રોજી રોટી મળે એના માટે પણ આપણે વ્યવસ બનાવી છે અને સસ્તી દવા મળે, ઓપરેશનો સસ્તાથાય એટલા માટે અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના પ્રજાની વચ્ચે મૂકીને જેની આવક ૩ લાખી નીચે છે એના ઓપરેશનમાં ૩-૩ લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે અને સીનીયર સીટીજનને પણ જેની વાર્ષિક ૬ લાખની આવક છે એમાં ૬૦ વર્ષી મોટી ઉંમરના વડીલોને પણ ઓપરેશનમાં ૩-૩ લાખ રૂપિયા રાજ્ય સરકાર આપશે. માટે રાજ્ય સરકાર રૂ.૮૦,૦૦૦/- આપશે અને આ રીતે રાજ્ય સરકારે પઢાઇ, કમાઇ ઔર દવાઇ આ ત્રણેયનો વિચાર કર્યો છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસની બાબતમાં પણ રાજ્ય સરકાર ગંભીર છે. પોલીસ દળની સતર્કતાને કારણે ધાડ-લૂટ, ખૂન, બળાત્કારના આરોપીઓને પાતાળમાંથી પણ પકડી પાડીને નશ્યત કરવા માટે સરકાર કટિબદ્ધ છે.

ગુજરાતમાં ગુનેગારોને ગમે ત્યાંથી શોધીને સજા આપવી એ આપણું લક્ષ્ય છે અને એટલા માટે જ ગુજરાતના પોલીસ દળમાં મોટા પાયે ભરતી કર્યા પછી બધાને આધૂનિક ટેકનોલોજી સો જોડવાનું કામ હમણાં જ પોકેટ કોપ આપીને કર્યું છે. પોલીસ કર્મચારીઓ પાસે ૬૫ લાખ ગુન્હાહિત પ્રવૃત્તિ કરનારાઓનો રેકર્ડ હોય અને એના કારણે ઝડપી નિર્ણયો કરી શકે. પાસપોર્ટ માટે ધક્કા ન ખાવા પડે. પોલીસ ઘરે આવીને ૧૦ મીનીટમાં પાસપોર્ટ આપે એ પ્રકારની વ્યવસ કરી છે. સીસીટીવી કેમેરાઓ લગાવીને આજે ગુજરાતમાં એ નેટવર્ક દ્વારા કોઇપણ ગુનેગાર છટકી ન જાય એ પ્રકારની વ્યવસ કરી છે. ગુજરાતના પોલીસ દળને અભિનંદન આપું છું કે, છેલ્લા થોડાક સમયમાં જ જેટલા મોટા ગુનાઓ બન્યા એ તમામ ગુનેગારોને છત્રીસ કલાકમાં પાતાળમાંથી કાઢીને પણ ગુજરાત પોલીસે પકડીને એના પર કેસો કર્યા છે.

ભ્રષ્ટાચાર માટે પણ આ સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કયાંય કોઇને એક રૂપિયો લાંચ આપવી ન પડે એવી વ્યવસ ઉભી થઇ રહી છે. ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને પણ વધુ સુસજ્જ, ટેકનોલોજી યુકત વધુ સ્ટાફ આપીને, વધુ વકીલો ફાળવીને, અમે સુવ્યવસ્તિ કરી રહ્યા છીએ. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અમે ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ.

અનેક-અનેક પહેલરૂપ અનેક-અનેક નિર્ણયો, યોજનાઓ, આયોજનો, ગુજરાતની વિકાસ યાત્રાને તેજોમય બનાવવા આ સરકારે કર્યો છે. વિકાસ જ અમારો પ્રાણ છે. વિકાસ જ અમારી પ્રેરણા છે અને વિકાસ જ અમારી પ્રતિજ્ઞા છે. વિકાસી વૈશ્વિક પ્રગતિના શિખરો સર કરવા છે. અડીખમ, અણનમ ગજરાતને આન-બાન-શાની લગીરે ઠેસ ન પહોંચે એવા સંકલ્પ સો આપણે ગુજરાતીઓએ આવનારા દિવસોમાં ગુજરાતને આગળ વધારવાનું છે.  આ ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાત સરદાર વલ્લભભાઇ પટેલનું છે. આ ગુજરાત શ્યામજી કૃષ્ણ વર્માનું છે. આ ગુજરાત નરસિંહ મહેતા, કવિ નર્મદ,  પ્રમૂખ સ્વામી થી માંડીને  હેમચંદ્રાચાર્યજી મહારાજ,  મોરારિ બાપુ,  રમેશભાઇ ઓઝા હોય કે પછી આદિવાસીઓના ક્રાન્તિવીર પૂજ્ય ગોવિંદગુરૂનું હોય કે પછી દલિત વંદનીય નેતા વીર મેઘ માયાનું ગુજરાત છે. આ ગુજરાત ઓબીસી માટે જે માન ધરાવે છે એવા સદારામ બાપુનું ગુજરાત છે. આ ગુજરાત મોરારજીભાઇ દેસાઇનું ગુજરાત છે. આ ગુજરાત નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાત છે.

આવો, આપણા ગૌરવવંતા ગુજરાતની ગરિમા અને વિકાસ ગાાને વધુ ઉજ્જવળ કરીએ અને ગુજરાતની વિકાસકૂચના સેનાની બનીને જ્યાં હોઇએ ત્યાં ગુજરાતીપણું છલકાવીએ. ફરી એકવાર સૌને ગુજરાત ગૌરવ દિનની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.