ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોનો સત્યાનાશ નિકળી ગયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા એવા યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક નજીક મહાકાય ભુવો પડયો છે. અડધો માણસ આ ભુવામાં ગરકાવ થઈ જાય તેઓ ભુવો છે. જેના કારણે ભયાનક અકસ્માત થવાની ભીતિ વર્તાય રહી છે. સવારથી ભુવો પડયો હોવા છતાં મહાપાલિકાના નિર્ભર તંત્રએ હજુ સુધી ભુવો બુરવાની વાત તો દુર નહીં લોકો આ મહાકાય ખાડામાં ખાબકતા બચે તે માટે સુચક બોર્ડ પણ લેવાની તસ્દી લીધી નથી. આ ભુવાથી થોડેક દુર મહાકાય ખાડો છે. જે અકસ્માત નોતરી રહ્યો છે. શહેરના તમામ રાજમાર્ગોની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જો વાહન ચાલકની જરા અમથી નજરે ચુકે તો આ બિસ્માર રસ્તાઓ અકસ્માતનું કારણ બની જાય છે.
Trending
- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
- તંત્રમાં સાચી હમદર્દી ક્યારે જાગશે ?
- જંક્શન પ્લોટમાં રાજશક્તિ ડેરી ફાર્મમાંથી વાસી બેકરી પ્રોડક્ટનો જથ્થો પકડાયો
- કોર્પોરેશનમાં સ્મશાન જેવો સન્નાટો: હવે શું એક જ ચર્ચા?
- મંજૂરી વગર ધમધમતી પાંચ ડ્રાયવિંગ સ્કૂલો સામે તવાઈ
- અગ્નિકાંડના હતભાગીઓના સ્વજનોને સધિયારો આપતા સાંસદ રૂપાલા-મોકરીયા
- પોલીસ કમિશનર બ્રજેશ ઝા ચાર્જ સંભાળતાની સાથે એકશન મોડમાં