Abtak Media Google News

ખ્યાતનામ હિન્દી કવિઓ હાસ્યરસ, વ્યંગ અને વીર રસથી રાજકોટવાસીઓને રંગી દેશે

હોળી અને ધુળેટીના પાવન પર્વ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ રેસકોર્ષ સંકુલ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે રાત્રે ૮:૩૦ કલાકથી હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

Advertisement

તેઓએ ઉમેર્યું હતું કે, હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં પ્રખ્યાત ટીવી સીરીયલ લાફટર શોમાં આવતા હિન્દી હાસ્ય કવિઓ હાસ્યરસ, વ્યંગ અને વીર રસથી રાજકોટવાસીઓને રંગી દેશે. આ તકે ભાજપના કોર્પોરેટરો કાર્યક્રમમાં આવનાર તમામ નગરજનોને તિલક કરી પર્વની શુભકામના પાઠવશે. હિન્દી હાસ્યકવિ સંમેલનના અનુસંધાને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ લાઈટ, સાઉન્ડ, માઈક, મંડપ સહિતની વ્યવસ્થાઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં હાસ્ય વ્યંગ અને વીર રસના રંગથી તરબોળ થવા શહેરીજનોને ઉમટી પડવા માટે હાંકલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.