Abtak Media Google News

Screenshot 1 31 કેન્સરના મૂળ સુધી પહોચીને તેમાં જનીનીક સરચનાની ખામીને હોમિયોપેથી સારવાર દવાના નાનામાં નાના પાર્ટીકલને દૂર કરે છે

એક મહિલા કે જેના પેટમાં કેન્સરની પાંચ ગાઠ હતી, ક્ધસલન્ટ હોમિયોપેથ ડો.ચોલાબેન લશ્કરીએ હોમિયોપેથી સારવારથી ગાંઠ દૂર કરી!!!

51 વર્ષની એક સ્ત્રીને  ગાયનેક પ્રોબ્લેમ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ગર્ભાશય અને ઓવરી ઓપરેશન કરી કાઢી નાખવામાંઆવેલ ત્યારે સીટી સ્ક્ેન અને બાયોપ્સીના રીઝલ્ટમાં ઓવરીનું કેન્સર થયું હોવાનું સામે  આવ્યું ઉપરાંત સીટી સ્કેનમાં પેટમાં બીજી પાંચ ગાંઠ કેન્સરની હોવાની સામે આવતા મહિલાને   કીમો થેરાપીના ડોઝ અને બીજુ મેજર ઓપરેશન કરવા નકકી થયેલ  પરંતુ 7 જાન્યુઆરીના કરવામાં આવેલ સીટી સ્કેનના રિપોર્ટમાં પાંચમાંથી એક પણ ગાંઠ દેખાઈ નહિ આ જોઈ કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોકટણ પણ આશ્ર્ચર્ય પામ્યાં મહિલાને કિમો થેરાપીના ડોઝ બાદ મેજર ઓપરેશન કરવાનું  હતુ તે કેન્સલ થયેલ.

ત્યારે અબતક સાથેની વાતચીતમાં એમ.ડી. હોમીયોપેથ ક્રિટીકલ ડિસીસ સ્પેશ્યાલીસ્ટ ડો. ચોલાબેન લશ્કરીએ  જણાવ્યું હતુ કે હોમિયોપેથી  કોઈપણ પ્રકારના  કેન્સરમાં અદભૂત રિઝલ્ટ આપે છે એવું કહેવાય છે કે વહેલુ નિદાન ઉતમ રીઝલ્ટ અમારી પાસે એક એવા મહિલા દર્દી આવેલા કે જેના પેટમાં પાંચ ગાંઠો હતી કિમો થેરાપીનો એક ડોઝ લીધા બાદ તે મહિલાને ઉલ્ટી આખા શરીરમાં ખંજવાળ ઉપડેલ હતી પહેલા ડોઝ બાદ મહિલાના પતિએ હોમીયોપેથી દવા લેવા જણાવેલ. કિમો થેરાપીથી સાઈડઈફેકટ થાય પરંતુ હોમિયોપેથી  દવાથી કીમોથેરાપીની 80%થી ઓછી સાઈડઈફેકટ થાય છે. તે મહિલાની એલોપેથીની ટ્રીટમેન્ટ સાથે હોમીયોપેથી દવા ચાલુ  રાખવમાં આવી હતી..

ત્યારે કિમો થેરાપી પૂર્ણ થતા જે મેજર ઓપરેશન કરવાનું  હતુ તે પહેલા એમઆરઆઈ કરવામાં આવતા  બહેનના પેટમાં એકપણ ગાંઠ ન હતી તેવો રીપોર્ટ આવતા મે જેમણે 20 ઓકટોબરે એમઆરઆઈ કરેલ તેમાં રિપોર્ટમાં મહિલાના પેટમાં પાંચ ગાંઠ હતી તે આવેલ અને જાન્યુઆરીના રોજ એમઆરઆઈ કરતા ગાંઠન હોવાનું આવતા તેમને ફોન કરી જણાવેલ કે એક મીલીમીટરની ગાંઠ હોય તો પણ રીપોર્ટમાં  લખવું પડે. તમે સાઈઝ કેમ નથી લખી ત્યારે ડોકટરે જણાવેલ કે મહિલાના પેટમાં એક પણ ગાઠ નથી ત્યારબાદ ઓન્કોલોજીસ્ટ કેન્સર નિષ્ણાંત ડોકટરને બતાવતા તેઓને પણ નવાઈ લાગી અને મહિલાને જે મેજર ઓપરેશન કરવાનું હતુ તે કેન્સલ થયેલ.

હાલ પણ તે મહિલાની  હોમિયોપેથીક દવા ચાલું જ છે. ઈમરજન્સી વખતે પણ હોમિયોપેથીક ટ્રિટમેન્ટ કામ આવે  પરંતુ  આપણે ત્યાં લોકો શરીરમાં રોગ વધી જાય એલોપેથીથી થાકી જાય ત્યારે હોમિયોપેથીક દવાઓ તરફ વળે.

કેન્સરમાં વહેલુ નિદાન વહેલી સારવાર જલ્દી ફાયદો મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.