Abtak Media Google News

મેગ્નેશિયમની ખામીના કારણે લાંબાગાળે અનેક રોગો થવાની સંભાવના હોય, મેગ્નેશિયમની ભરપૂર કઠોળ, દુધ, ડ્રાયફ્રુટ્સ, શાકભાજી નિયમિત ખોરાકમાં લેવાની નિષ્ણાંતોની સલાહ

માનવ શરીરમાં સ્વાસ્થ્યનું સમતોલન જાળવવા તમામ પ્રકારની ધાતુ અને મિનરલ જરૂરી છે. કોઈપણ ધાતુ કે મિનરલનું પ્રમાણ વધી કે ઘટી જાય તો શરીરમાં બિમારી લાગુ પડી જાય છે. આ સમતોલન માટે ભારતીય આયુર્વેદ પધ્ધતિમા ધાતુશાસ્ત્ર નામનો ખાસ વિષય પણ આવે છે. માનવ શરીર માટે આવું એક મહત્વનું મિનરલ છે મેગ્નેશિયમ શરીરમાં હાડકા અને મસલ્સને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે મેગ્નેશિયમ અતિ જરૂરી છે.

Advertisement

માનવ શરીરમાં હૃદય, મસ્કયુલો-સ્કેલેટ સિસ્ટમ અને મગજમાંથી ઉત્તપન્ન થતા એન્ટી ઓકસીડેન્ટ કે જે વિવિધ રોગો સામે લડવા માટે એન્ટી ઓકસીડેન્ટ બનાવે છે તેમાં મેગ્નેશિયમ અતી મહત્વનું મિનરલ છે. શરીરમાં રહેલા છ જરૂરી મિનરલમાં મેગ્નેશિયમ એક મહત્વની મિનરલ છે. મેગ્નેશિયમનાં કારણે હજારો એન્ઝીયમીઓ સરળતાથી કાર્યરત રહી શકે છે. ખોરાકમાથી શકિત બનાવવામાં મેગ્નેશિયમ અતિ મહત્વની મિનરલ છે.

રોગ પ્રતિકારક તંત્રના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે અસ્થમા, ડાયાબીટીસ, અનિંદ્રા, હાઈબ્લડ પ્રેશર, કબજીયાત, ડિપ્રેશન, માગ્રેઈન્સ જેવી અનેક બિમારીઓમાં મેગ્નેશિયમ અતિ જરૂરી મનાય છે. હાડકા, કાર્ડિયાક અને હાડપિંજરની સ્નાયુઓમાંથી કેલિશયમનું નિયમન મેગ્નેશિયમમાં કરે છે. આંતરડાની સફાઈ કરે છે લોહીમાં સકરના સ્તને સંતુલિત કરે છે. લોહીની સારા પરિભ્રમણને સંતુલીત કરે છે. અને બ્લડ પ્રેશરને જાળવી રાખે છે ને સીસ્ટમને શાંત કરે છે. સાંધા અને અસ્તિબંધને સાનુકુળ ઉંઘનું નિયમન કરે છે. ડિપ્રેશનનો સામનો કરવા તથા પ્રીમેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમના લક્ષણો સુધારવામાં મેગ્નેશિયમ અતિ મહત્વનું છે.

જો કે, કમનસીબે મોટાભાગનાં તબીબ નિષ્ણાંતો અને વ્યવસાયીકોના મતે માનવ શરીરમાં મેગ્નેશિયમની અછતએ સૌથી મોટી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે.પૂરતા આહારને અનુસરતા હોવા છતાં વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોમાં મેગ્નેશિયમનું પ્રમાણ અપૂરતું હોય છે. મેગ્નેશિયમની ટુંકાગાળાની ખણાબ અસરો શોધવામાં આવી નથી. પરંતુ લાંબા ગાળે મેગ્નેશિયમની કમી શરીરમાં અનેક નુકશાની પહોચાડી શકે છે. શરીરમાં મેગ્નેશિયમની ગેરહાજરીની કોષોમાં પૂરતી ઉર્જા ઉત્પન્ન થવાનું વધુ મુશ્કેલ બને છે. સ્નાયુઓ સક્ષમ ન હોવાની આવશ્યક હોર્મોન્સનું સંશ્લેષણ પણ અટકાવશે આ બદલામાં સિસ્ટમમાં મહત્વપૂર્ણ કાર્યોના નિયંત્રણમાં અવરોધ લાવી શકે છે. અને શરીરને સામાન્ય બિમારીઓમાં પરિણામી શકે છે.

વધુમાં દૈનિક આહારમાં મેગ્નેશિયમની અછત ધણીવાર ગંભીર ડિપ્રેશન સાથે સંકળાય શકે છે. ખાસ કરીને યુવાનોમાં ખાસ આવું બની શકે છે. ડાયાબીટીસના ટાઈપ-૨માં જોખમો વધારે કરતા મેગ્નેશિયમ પૂરતુ નથી કારણ કે, ઈન્સ્યુલીન પ્રતિકાર પેશાબની આવર્તનમાં વધારો કરી શકે છે. અને આમ ખનીજો પેશાબમાંથી બહાર નીકળી શકે છે. મેગ્નેશિયમથી તીવ્ર હાઈપરટેન્શન થઈ શકે છે.તે સિસ્ટોલીક અને ડાયાસ્ટોલીક બ્લડ પ્રેશરમાં વધારા તરરફ દોરી જાય છે. લાંબા સમયના અતિસાર અને સેલેઆક રોગો જેવા પાચન વિકારો પણ ઓછો મેગ્નેશિયમના સેવનના પરિણામે થઈ શકે છે. મેગ્નોસિયમની ખામીના કોઈ સ્પષ્ટ લક્ષણોનથી જે કોઈમાં શરીરના કોઈપણ ચોકકસ ભાગમાં દેખાય છે. જો કે, કેટલાક હળવા અને સામાન્ય લક્ષણો ચકકર, એકાગ્રતામાં મુશ્કેલી, થાક, કબિજયાત, આંતરડામાં ખંજવાન, હૃદયની પેપેશન્સ, ચીડિયાપણુ સ્નાયુ ખેંચાણ ચિંતા અને ખોરાકમાં વધારો છે.

મેગ્નેશિયમની આડઅસરથી દૂર રહેવા માટે અનેતેના બદલામાં તેના ફાયદા કાપીને મેગ્નેશિયમનું જ મુખ્ય અત્યંત અગત્યના ખનિજ તરીકે સમજવું આવશ્યક છે. અને આ રીતે એક દૈનિક આહારમાં સામેલ છે નિષ્ણાંતો ૧૦ થી ૩૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓને ૩૧૦ એમ જ અને ૩૧ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે થોડા વધારે મેગ્નેશિયમની ભલામણ કરી છે. મેગ્નેશિયમની ખામી દૂર કરવા ડાર્ક ચોકલેટ, કાળાબી, ચણા, વટાણા અને સોયાબીન જેવા કઠોળ, કાજુ, બદામ, જેવા ડ્રાઈફૂટ, ઘઉં, જવ, જેવા અનાજો, કેળા, પાંદડાવાળા શાકભાજી ફેટી માછલી અને દુધ એ મેગ્નેશિયમના જાણીતા અને તંદુરસ્ત સ્ત્રોત છે. જેને આપણા દૈનિક આહારમાં સામેલ કરવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.