Abtak Media Google News

ખાંભા તાલુકાના રબારીકાની ગાંધી વિદ્યાલયમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના વિદાય સંમારભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલથી પૂજ્ય સંતોની વિશેષ ઉપસ્થિત રહી હતી.

પ્રારંભમા સંતો તથા પ્રેમજીભાઈ સેંજલીયાના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. ત્યારબાદ આચાર્યશ્રી તથા સંતોએ ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગને અનુરૂપ વાત કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ જીવન લક્ષી વાત કરતા કહ્યું હતું કે અહીંથી પ્રાપ્ત થયેલ ભણતર સાથે સંસ્કારને પણ જીવનભર જાળવી રાખજો. માતા પિતાની સેવા કરજો. આ શાળાને , શિક્ષકોને ક્યારેય ભુલતા નહીં. સ્વચ્છતાને અગ્રિમ સ્થાન આપજો. જીવનમાં હંમેશાં નિતીમત્તા રાખજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.