Abtak Media Google News

અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રાજનગર હૈ. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ર્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ર00 સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોને “મિચ્છામી દુક્કડમ” પાઠવીને જણાવ્યું હતું કે, ર00 સિદ્ધિતપ તપસ્વીઓના 45 દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જૈન ગુરુજનો અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ પારણોત્સવમાં રજવાડી શોભાયાત્રા સાથે રાજાશાહી પારણાં યોજાયા હતાં. પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રજિતસૂરીશ્ર્વરજી મહારાજે આ પ્રસંગે તપનું મહત્વ સમજાવતા આશીર્વચન પાઠવ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.