Abtak Media Google News

જો માણસ સ્વસ્થ હોય તો સંપત્તિ પણ તેની સામે ઝાંખી પડે, કહેવત છે ને કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. પરંતુ આપણા ધારાસભ્યોનું સ્વાસ્થ્ય લથડેલું રહે છે. જેને લઈને હવે ગુજરાત વિધાનસભાનો 12 વાગ્યાનો સમય 11 વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

Advertisement

અધ્યક્ષ અને દંડક સમક્ષ કરી રજૂઆત

સમય બદલવાની આ હિલચાલ પાછળ ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા કેટલાક ધારાસભ્યો છે. આ મામલે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ અને બંને પક્ષના દંડકને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતને પગલે અધ્યક્ષ અને બંને પક્ષના દંડક પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.