Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

જામનગરમાં દિગવીજય પ્લોટ શેરી નંબર ૫૮ માં એક મકાનમાં આગ લાગી હતી, અને ખાલી બારદાન અને પૂઠાનો જથ્થો સળગ્યો હતો. ફાયર બ્રિગેડે સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા હિમેશભાઈ કનખરા નામના રહેવાસી ના મકાનમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. અને ઘરના ભોંય તળિયાના ભાગમાં રાખવામાં આવેલા ખાલી બારદાન તેમજ પૂઠા વગેરેના ઢગલામાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી આગ વધુ પ્રસરતી અટકી હતી, અને નુકસાની થતાં અટકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.