Abtak Media Google News

પત્ની રીસામણે બેઠી હોવાથી તેનો ખાર રાખી 6 શખ્સો સાથે મળીને હુમલો કરાયો

જામનગરના જાગૃતિ નગર વિસ્તારમાં એક જમાઈ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની રિસામણે બેઠી હોવાથી તેનું મન દુ:ખ રાખીને સસરાનું અન્ય સાગરીતો ની મદદથી ઇકો કારમાં અપહરણ કરી જઈ માર મારી ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા સીદાભાઈ રામદેવભાઈ જોગાણી નામના 53 વર્ષના ગઢવી જ્ઞાતિના આધેડ ગઈકાલે જાગૃતિ નગર ના ખૂણા પાસેથી પસાર થઈ રહયા હતા. જે દરમિયાન તેનો જમાઈ લાખાભાઈ ઘેલાભાઈ જામ તેના અન્ય સાગ્રીતો વિપુલ કુંભાભાઇ જામ, ડાડુ કરમણ જામ તથા અન્ય ચાર અજ્ઞાત શખ્સો સાથે ઇકો કારમાં ધસી આવ્યો હતો, અને બળજબરી પૂર્વક સીદાભાઈ નું અપહરણ કરી ગયો હતો, અને લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, અને માર્ગ પર ફેંકીને ભાગી છૂટ્યો હતો.

આ બનાવ પછી સીદાભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યારે તેણે પોતાના પર હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે પોતાના જમાઈ લાખાભાઈ જામ અને તેના અન્ય સાગરીતો સામેં  ફરિયાદ નોંધાવી છે.  પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સીદાભાઈ ની પુત્રી કે જેના લગ્ન આરોપી લાખાભાઈ સાથે થયા હતા, પરંતુ પુત્રીને સાસરીયા ત્રાસ અપાતો હોવાથી સીદાભાઈ પોતાની પુત્રીને માવતરે તેડી આવ્યા હતા, જેનું મન દુ:ખ રાખીને આરોપી વીફર્યો હતો, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.