Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અલગ પડેલી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની આજરોજ દ્વારકાના શારદાપીઠ આર્ટસ, કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજયુકેશનના કોલેજ કેમ્પસમાં ભાઈઓ માટેની આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીની જુનાગઢ-પોરબંદર-દ્વારકા-કોડીનાર-સીમાર સહિતની દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. સવારે ૮:૦૦ કલાકે કોલેજના પ્રિન્સીપાલ ડો.સંદિપ વાઢેર, સંસ્કૃત એકેડેમીના ડો.જયપ્રકાશનારાયણ દ્વિવેદી, શારદાપીઠ કોલેજના પૂર્વ જી.એસ. તથા દ્વારકાના લોહાણા અગ્રણી જીતુભાઈ દાવડા સહિત કોલેજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિપપ્રાગટય બાદ ટુર્નામેન્ટ શરૂ કરાઈ હતી.

જેમાં અલગ-અલગ ટીમો વચ્ચે રસાકસી બાદ ફાઈનલમાં જુનાગઢની જે.જે.સી. કોમર્સ કોલેજ તથા જુનાગઢની જ ડો.સુભાષ સાયન્સ કોલેજ વચ્ચે જબરદસ્ત મુકાબલામાં આખરે જે.જે.સી. કોમર્સ કોલેજ, જુનાગઢ વિજયી બની હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિજેતા ટીમને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.