Abtak Media Google News

જોષીપુરા પાલિકાના ઉપપ્રમુખ મોહનભાઈ સુત્રેજાની છ વર્ષ પહેલા છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી

જુનાગઢના જોષીપરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી મોહનભાઈ સુત્રેજાની વર્ષ ૨૦૧૨માં બે શખ્સોએ સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ અંગે બે શખ્સો સામે મૃતકના ભાઈએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા સેશન્સ કોર્ટે બંનને આજીવન કેદની સજા ફટકારી હતી અને ૬૦ હજાર મરનારના પત્નીને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના જોષીપુરામાં રહેતા અને જોષીપુરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ સરમણભાઈ સુત્રેજાની ગત ૧૬ મે ૨૦૧૨ના રોજ સાંજે ૬ વાગ્યાના સુમારે સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. મોહનભાઈ સ્ટેશન રોડ પર આવેલા પ્રકાશભાઈ જેઠવાના ગેરેજ પાસે ઉભા હતા ત્યારે પલ્સર બાઈક પર ધીરૂ કાળા સીંધલ અને હરેશ નેભા સીંધલ ગાંધી ચોક તરફથી આવ્યા હતા અને આગળ પેટ્રોલપંપ પાસેથી ગાડી વાળી મોહનભાઈ પાસે આવ્યા હતા. મોહનભાઈ તેમને જોઈ પાસે આવેલી લાખાણીની હોસ્પિટલમાં દોડી ગયા હતા. પેલા બંને તેની પાછળ દોડયા હતા અને બાદમાં હોસ્પિટલના દરવાજા પાસે જ મોહનભાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા.

આથી મોહનભાઈ ત્યાંજ ઢળી પડયા હતા અને ત્યાંજ તેનું પ્રાણ પંપી ઉડી ગયું હતું. બનાવ અંગે ધીરૂભાઈએ સરમણભાઈ સુત્રેજાએ બંને આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ કાલે ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ ધીરજ ટી.સોનીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ બંનેને આજીવન કારાવાસની સજા અને કુલ રૂ.૩૦-૩૦ હજારનો દંડ ફટકાર્યો છે સાથે મરનાર મોહનભાઈના પત્નીને વળતર પેટે રૂ.૬૦ હજાર ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.