Abtak Media Google News

ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં યોજાનારી ચૂંટણીસભામાં ઉમટી પડવા લોકોને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અપીલ

૧૦-રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાનાં સમર્થનમાં આવતીકાલે વાંકાનેર અને મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની ચુંટણીસભા યોજાવાની છે. કાલે તા.૧૮ને ગુરુવારે સાંજે ૬:૩૦ કલાકે વાંકાનેર ખાતે જયારે રાત્રે ૮:૦૦ કલાકે ટંકારા વિધાનસભા બેઠકના રવાપર ગામ ખાતે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની જંગી જાહેરસભા યોજાશે. ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં યોજાનારી આ બંને જાહેરસભામાં ઉમટી પડવા માટે વાંકાનેર અને રવાપરની જનતાને રાજકોટ લોકસભા બેઠકના ઈન્ચાર્જ તથા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.