Abtak Media Google News

મોરબી સમાચાર

રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવાં 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીમાં આજરોજ પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ, વેજીટેબલ રોડ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની ઓપનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં કામે જતા શ્રમિકોને પોષ્ટીક આહાર મળી રહે તે અનુસંધાને આ યોજના શરુ કરવામાં આવી છે.

Advertisement

આ યોજના અંતર્ગત માત્ર ૫ રૂપિયા ટોકન દરે શ્રમિકોને પૌષ્ટિક આહાર મળી રહેશે.તેવી રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે મોરબી ખાતે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, ભાજપ જીલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ, વેજીટેબલ રોડ ખાતે આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ઓપનિંગ કાર્યક્રમનું આયોજન કરી મોરબીમાં પાંચ કરતા વધારે ભોજન વિતરણ પોઇન્ટ શરુ કરવામાં આવ્યા હતા.

ઋષિ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.