Abtak Media Google News

રાજ્યમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે મહીસાગરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. મહીસાગર નદી ઉપર આવેલ ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મહીસાગરના ઘોડિયાર બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. 24 કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગઈ કાલે કડાણા તાલુકાના ઘોડિયાર પુલ ઉપર પોલીસને બાઈક અને ચંપલ પુલની ઉપર મુકેલા મળી આવ્યા હતા

બંને પ્રેમી પંખીડાંના મૃતદેહ એકબીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા છે. બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હોવાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ વહેલી સવારથી તપાસ હાથ ધરી છે.

ત્યાર બાદ SDRF તથા SRP ગોધરાની ટીમની મોડી રાત સુધી શોધખોળ આદરી હતી. સોમવારે બંને ઘરેથી નીકળ્યા હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું બંને વીરપુર તાલુકાના હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી છે. મૃતદેહોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઈ જવાયા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.