Abtak Media Google News

બાકી રહેતા ગામોનો પાક વિમો મંજુર થાય તેવી ખેડુતોની માંગ: મામલતદારને આવેદન

માણાવદર ગાંધીચોક માંથી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની આગેવાનીમાં પાક વિમા બાબતે વિશાળ ખેડૂતો ની રેલી સુત્રોચ્ચાર સાથે નિકળી અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ  આ આવેદનપત્ર માં જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતગર્ત જે પાક વિમો મંજુર કરવામાં આવેલ તેમા માણાવદર તાલુકામાં ૨૭ ગામોમાં અલગ- અલગ ટકાવારી મુજબ પાક વિમા ની રકમ ચુકવવામાં આવેલ છે બાકી રહેતા ૩૧ ગામોમાં પાક વિમો મંજુર કરવામાં આવેલ નથી જેથી બાકી રહેતા ગામોમાં ખુબ જ અસંતોષ જોવા મળે છે તેમજ ધણા ખેડૂતો ને અન્યાય થયેલ છે સાવ આજુબાજુ ના ખેતરમાં આવી વિમાની વિચિત્ર વિસંગતતા દુલ કરીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક તર્ક સંગત ન્યાય આપી બાકી રહેતા ગામો નો પાક વિમો મંજુર થાય તેવી કાર્યવાહી કરવા અમારી બુલંદ માંગણી છે.

Img 20190225 Wa0046

થોડા વર્ષોથી ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની (વેપારી સ્ટાઇલથી) જાહેર કરી છે જેમાં માં તાલુકા એકમને બદલે ગામ એકમ મુજબ પાક વિમાની ચુકવણી કરવામાં આવે છે જેથી ધરતી પુત્રોને ધોર અન્યાય થઇ રહયો છે.આ યોજનાની વિસંગતતાઓ દુર કરવા અવાર નવાર રજુઆતો કરેલી છે છતા કોઇપણ નિરાકરણ આવેલ નથી આ યોજનામાં એકજ સીમમાં અલગ અલગ ગામના ખેતરો સાથે હોવા છતા પણ આ યોજનાની વિસંગતતાઓને કારણે ખેડૂતોને ધોરાજી અન્યાય થઇ રહયો છે. દા.ત. એક ખેડૂત ને ૮૦.૯૦.% વિમો મળ્યો હોય ત્યારે તેના સેઢા પાડોશી ખેડૂત ને ૦.૦૦ %વિમો ચુકવાય છે તો આ વિસંગતતા દુર કરી ગામ એકમને બદલે અગાઉની જુની તાલુકા એકમ મુજબની પધ્ધતિ ચાલુ રાખવી અને તે મુજબ ૨૦૧૯-૧૯ ના વર્ષ નો પાક વિમો ચુકવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગણી છે. છેલ્લા ધણા વર્ષો થી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલો છે ખેડૂતો ઉપર દેવું એટલા પ્રમાણમાં વધી ગયેલ કે ધણા ખેડૂતો ને આત્મ વિલોપન પણ કરેલ છે ગત સાલ ખુબ જ ઑછો વરસાદ પડેલ હોવાથી ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા આમારી માંગણી છે. ગત સાલમાં ગુજરાત માં તેમજ અમારા વિસ્તાર માણાવદર તાલુકામાં પણ વરસાદ ખુબજ ઑછો પડેલ હોય મોટા ભાગના વિસ્તાર ના ખેડૂતો નો પાક નિષ્ફળ ગયેલ છે જેથી આ બાબતે તુરંત નવેસરથી સર્વે કરાવી બાકી રહેતા ગામોને સત્વરે પાક વિમો મંજુર કરવામાં આવે તેવી કાર્યવાહી કરી ખેડૂતોના હીતમાં નિર્ણય કરવા માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.