Abtak Media Google News
  • સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સુરવો નદી નજીક ઝેરી દવા ગગટાવી જીવન ટૂંકાવ્યું
  • બે સંતાનોની માતાએ પ્રેમી સાથે આપઘાત કરી લેતા બાળકો રઝળી પડયા

જેતપુરમાં સુરવો ડેમ પાસે વડીયાના મોરવાડા ગામમાં પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી આપધાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.બે સંતાનોની માતાએ પ્રેમસંબંધને અંજામ આપવા પરિણીત પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવીને સજોડે આપઘાત કર્યો છે.

બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતો.પ્રેમી પંખીડાને સમાજ એક નહિ થવા દે તેવા ડરથી જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું.વિગતો મુજબ જેતપુર તાલુકાના થાણાગાલોર ગામના સીમ વિસ્તારમાં આવેલ સુરવો ડેમ પાસે એક યુવક અને યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની તાલુકા પોલીસને સ્થાનિક આગેવાનોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને જ્યાં બંનેની ઓળખ કરતા યુવકનું નામ શૈલેષભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા (ઉવ. 30) અને યુવતીનું નામ કિંજલ મનસુખભાઇ મકવાણા (ઉવ.27) હોવાનું સામે આવ્યું હતું.વધુ તપાસમાં બંને વડીયા તાલુકાના મોરવાળા ગામના હોવાનું તેમજ બંને પરિણીત છે.

જેમાં શૈલેષભાઇને સંતાનમાં એક પુત્ર તેમજ કિંજલને એક પુત્ર અને પુત્રી છે. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, કિંજલબેનના લગ્ન દેવળકી ગામ મુકામે રહેતા બીપીનભાઈ ઉર્ફે પ્રવીણભાઈ સોંદરવા સાથે થયા હતાં. અને તેણીને લગ્ન પહેલા જ શૈલેષભાઇ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ તેઓ દૂરના કાકા ભત્રીજી થતાં હોવાથી લગ્ન શક્ય ન હતાં. જેથી બંનેના લગ્ન અલગ અલગ જગ્યાએ થઈ ગયા હતા.

થોડા સમય પહેલા જ કિંજલબેન રિસામણે આવેલ હતી અને પાંચેક દિવસ પૂર્વે ફીનાઇલ ગટગટાવી લેતા તેણીને 108 મારફત સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલ લાવવામાં આવેલ. જ્યાં ફરજ પરના સ્ટાફને પણ તેણીએ આપઘાત કરવો છે તેમ જણાવ્યું હતું. જે બાદ ગતરોજ શૈલેષભાઇ અને કિંજલબેન બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતાં. અને બંનેના પરિવારજનો તેમને શોધતા હતાં. જેમાં બંનેને સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.બંનેના આપઘાતની તેઓના સંતાનો રઝળી પડ્યા હતાં.હાલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.