Abtak Media Google News

જરૂરત મંદોને નીતિ નિયમોને નેવે મૂકી ખવડાવ્યા ધરમના ધકકા

તાજેતરમાં જ મોરબી જિલ્લામાં ૨૦૦ જેટલા આંગણવાડીમાં મહિલા અને જેન્સ ની ભરતી કરવામાં આવી છે જેમાં મોટાભાગે લાગ્યા અને ફરજ નિષ્ઠા અધિકારીના કે રાજકારણીના સગાવહાલાને જ કે ભલામણથી લાભ મળ્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના અને જિલ્લા બહારથી જેમકે રાજકોટ જિલ્લાના પણ વિકલાંગ લોકોએ લાભ લીધો હતો તેને માત્ર ધર્મ નો ધકો થયા જેવું હાલ અરજદારો મેસેજ કરી રહ્યા છે કારણકે જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તે જાહેરાતને ધ્યાને રાખી અરજદારોની ૨૦૦ની ઉપર સંખ્યા થઈ ગઈ હતી જેમાંથી ૨૧૦ જેટલા આશરે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે વાતને કોઇ શંકાને સ્થાન નથી અંતરે નોંધનીય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજમાં જરૂરત મંદ અને નિરાધાર વિધવા મહિલાઓ ને સરકારી યોજનાનો ઝડપી લાભ મળે અને તે પગભર થઈ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે પરંતુ સ્થાનિક મોરબી શહેર જિલ્લાના સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓના લાગવગ અને વ્હાલા દવલાની નીતિ ને કારણે વિકલાંગ મહિલાઓને ટેલેન્ટ હોવા છતાં કોઈ કારણોસર લેવામાં આવેલ નથી ત્યારે ૧૨ ધોરણ સુધી ભણેલા અને અનુભવી હોવા છતાં જરૂરતમંદ વિકલાંગ બહેનને આંગણવાડીની ભરતી માં સમાવેશ કરવામાં ન આવતાં સરકારી અધિકારીઓનો બીજા જોવા મળ્યો છે જેના પરિણામે એક જરૂરતમંદ વિકલાંગ બહેન હાલ આ લાભથી વંચિત રહી છે તેના પરિણામે વિકાસની વાતો કરનાર આપણા નેતાઓએ ખરા અર્થે વિકાસ કરવાની જરૂરત છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જે કોલી ફાઇટ નથી ઓછું ભણેલા છે તેવા વ્યક્તિઓને પણ આ આંગણવાડીની ભરતી માં લઇ ભ્રષ્ટાચાર ની મહેક આવ્યાની પણ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે મોરબી શહેર જિલ્લામાં વિકાસની માત્ર વાતો જ હોય વિકાસ કેનું અને કેવો તે મોરબીના મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.