Abtak Media Google News

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. બીજી તરફ આ કેસમાં પુલની કામગીરી સંભાળનારા જયસુખ પટેલ સામે મૃતક પરિજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફમોરબીમાં જયસુખ પટેલને સોશિયલ મીડિયા પર ભારે સમર્થન મળી રહ્યું છે તેમજ અલગ અલગ સમાજ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપતા પત્રો લખવામાં આવ્યા છે ત્યારે  મોરબી સીરામીક મેન્યુફેક્ચર્સ એસો. દ્વારા જયસુખ પટેલ તથા તેમના પિતા દ્વારા કરવામાં આવેલ સતકાર્યોને લઇ જયસુખ પટેલનો આભાર માન્યો હતો.

જયસુખ પટેલ અને ઓધવજીભાઇ પટેલની લોક સેવાથી હજારો થયા છે અભિભૂત

મોરબી સીરામીક મેન્યુફેક્ચરર્સ એસા. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,  સેવાકીય પ્રવૃતિ અને સમાજસેવા માટે અમો હંમેશા આભારી છીએ અને આ રુણ ચુકવી નહી શકીએ. મોરબી સિરામિક પરિવાર હંમેશા આપના સહકારમાં રહ્યો છે અને રહીશુ. તેમજ મોરબી સીરામીક મેન્યુફેક્ચરર્સ એસો. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આશરે ત્રણ માસ પહેલા મોરબીમાં ઝુલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુખદાયક અને કમનસીબ ઘટના હતી.આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી ભારો ભાર લાગણી રહેલી છે.

સર્વે સ્વર્ગસ્થ હુતાત્માંઓને સમગ્ર સિરામિક પરિવાર શ્રધ્ધાંજલી પાઠવે છે.આ ઘટનામાં ભોગ બનેલા તમામ પરિવારો પ્રત્યે અમો સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનામાં અસરગ્રસ્ત 135 જરુરિયાત મંદ પરિવારોના દુ:ખમાં સહભાગી બની એક વર્ષ સુધી દર મહિને જરૂરી રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા સિરામિક પરિવાર દ્વારા કરીએ છીએ તેમજ દુખની ઘડીએ અમો મોરબી સિરામિક પરિવાર અપાર દુખની લાગણી વ્યક્ત કરી છીએ.પત્રમાં તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આપના પિતા ઓધવજીભાઇ પટેલ અને આપ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને હંમેશા સાથ- સહકાર આપતા રહ્યા છો. આપની સેવા અને પરોપકારની ભાવના માટે દરેક સમાજના લોકોને આપના પ્રત્યે આદર ભાવના સાથે આપના રુણી છે.

આપે કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય મોરબીમાં ક્ધયા છાત્રાલયમાં કરેલુ છે જેનાથી સર્વ સમાજ વિદિત છે. મોરબીની આજુ-બાજુના ગામડામાં અને શહેરમાં જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યું છે. વિશેષમાં ખેડૂતોના ઉત્થાન માટે ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જલ ક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડના કાર્ય દ્વારા સમગ્ર ખેડૂત સમાજને સધ્ધર કરવા માટે જે કાર્ય કરેલુ છે તે હજુ પણ લોકો યાદ કરી રહ્યા છે. સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ, જેવા અનેક કાર્યો આપના થકી થતા રહ્યા છે. આપ હંમેશા દાનની સરવાણી વહાવીને સતત સામાજીક સેવામાં અગ્રેસર રહ્યા છો અંતમાં મોરબી સિરામિક એસોશિએશન જયસુખ પટેલ તેમના પરિવારની સાથે હમેશા ઉભુ રહ્યું છે અને હજુ ઉભુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

 

શાપર – વેરાવળ ઇન્ડ. એશો. આવ્યું જયસુખ પટેલની વહારે

મોરબી ઝુલતા પુલની દુર્ધટના બનેલ તે આપણા માટે ખુબ જ દુ:ખદ બાબત છે પરંતુ એક અકસ્માતની રુપરેખામાં સામાજીક અગ્રણી અને ઉઘોગપતિ જેમની પેઢી તથા દર પેઢી દેશના વિકાસ અને સેવા કાર્યક્રમાં જોડેલ છે તેવા ઉઘોગપતિ જયસુખભાઇની આ ઘટનામાં જે સમાચારોના માઘ્યમથી જાણવા મળેલ અને તેમની ધરપકડના સમાચાર મળેલ આવી ઘટના બાબતમાં આવા સુખી સંપન્ન ઉઘોગપતિને સંડવણીની વાત આવે ત્યારે સમાજના તથા રાષ્ટ્રના દરેક લોકોને ખુબ જ દુ:ખ થાય કારણ કે સરકાર હોય કે સામાજીક કાર્ય હોય તેમાં હર હંમેશા ઉઘોગપતિઓ લોક ભાગીદારી દ્વારા પ્રસાશન તથા રાષ્ટ્રના વિકાસ કાર્યોમાં હંમેશા મદદરુપ થતા હોય આ ઘટનામાં જયસુખભાઇનો કોઇ ઇન્ટેન્સ ન હોય પરંતુ અકસ્માતે અકસ્માત છે તો આવા ઘટનામાં જયસુખભાઇ જેવા વ્યકિત  હેરાન થાય તે દુ:ખદ બાબત છે આ ઘટનાના માઘ્યમથી કોઇપણ ઉઘોગપતિ લોક ભાગદારી તથા સામાજીક કાર્યોમાં દુર ખસી જશે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસો.ે જયસુખભાઇ ને સમર્થન જાહેર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.