Abtak Media Google News

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના એર પેસેન્જરોની લાંબા સમયથી માંગ હતી કે રાજકોટથી મુંબઈ જવા માટે સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવે અને તે માંગ અંતે એર ઈન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા પુરી કરવામાં આવી છે.આ ફ્લાઈટ સવારના 6-10 વાગ્યે રાજકોટ આવશે અને 6-40એ મુંબઈ જવા રવાના થશે.

Advertisement

આ ઉપરાંત હજયાત્રીઓ માટે ફાળવેલ વિમાન ફ્રી થતાં 15મી સપ્ટેમ્બરથી સાંજની ફ્લાઈટ પણ શરૂ થઈ રહી છે.  જેથી આગામી 15 ઓક્ટોબરથી રાજકોટ-મુંબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે. જે સપ્તાહમાં ચાર દિવસ સોમ, મંગળ, ગુરૂ અને શનિવારે 6-40એ રાજકોટથી રવાના થશે.

જેટ એરવેઝ બંધ થયા બાદ રાજકોટથી સવારની એક પણ ફ્લાઈટ મુંબઈ જવા માટે હતી નહીં. ત્યારે આગામી ઓક્ટોબરથી એરઈન્ડિયા દ્વારા સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે.જેને લઈને પ્રવાસીઓને મુંબઈ જવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.