આજે રાજકોટ ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત સી.આર પાટીલ પધારી રહ્યા હોય શહેર ભાજપમા અદમ્ય ઉત્સાહ સાથે તેમના આગમનને વધાવવા પૂરજોશથી તડામાર તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્રવાજે પ્રદેશપ્રમુખ સી.આર પાટીલને રાજકોટના આંગણે ઉષ્માભેર આવકારતા જણાવ્યું હતુ કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બિેલદાનોથી સીંચાયેલી ભારતીય જનતા પાર્ટી હમેંશા કાર્યકર્તા આધારિત પાર્ટી રહી છે ત્યારે પાર્ટીની પંચનિષ્ઠા, સામાજિક સમરસતાના મંત્ર પર ચાલનારી પાર્ટી છે ત્યારે છેવાડાના માનવીનો વિકાસ થાય તેને લક્ષમા રાખી હમેંશા ચાલી રહી છે ત્યારે કોઇપણ ઉત્સવ કે પર્વ હોય તેને સાથે મળી ઉજવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે શહેરના આંગણે જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી. આર પાટીલજી પ્રથમવાર સૈારાષ્ટ્રના પાટનગર અને વિકાસશીલ સ્માર્ટસીટી રાજકોટ ખાતે પધારી રહેલ છે ત્યારે આ અવસરને એક લોકઉત્સવ બનાવવાના આશયથી કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજો, સંસ્થાઓ પણ જોડાઇ રહી છે ત્યારે રંગીલા રાજકોટને આંગણે સી.આર પાટીલને સાંસદ અભયભાઇ ભારઘ્વાજે ઉષ્માભેર આવકાર્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ