Abtak Media Google News

રિઝર્વ બેંકની મોનીટરી પોલીસી કમિટીની 6 થી 8 ડિસેમ્બર સુધી બેઠક: ફુગાવાને નિયંત્રિત કરવા મંથન

ડિસેમ્બરના અંત સુધીમાં ભાવવધારાનો દર 4.5 ટકા સુધી ઘટાડવા આરબીઆઈનો લક્ષ્યાંક

કોરોનાકાળમાં સતત યથાવત રખાયેલા વ્યાજદરો ફરી એક વખત યથાવત જ રહે તેવી શક્યતા છે. વધતા જતા ફુગાવાના દરને અંકુશમાં લેવા સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત પ્રયાસમાં છે. જેના ભાગરૂપે વધુ એક વખત રેપો રેટ અને રિઝર્વ રેપો રેટમાં કોઈ ફેરફારો ન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીની આજથી બેઠક શરૂ થઇ ગઇ છે. જે આગામી 8મી ડિસેમ્બર એટલે કે બુધવાર સુધી ચાલશે.

Advertisement

નિષ્ણાંતોના મત અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (છઇઈં) આજથી શરૂ થયેલા નાણાકીય નીતિ સમીક્ષા કાર્યક્રમ દરમિયાન ચાવીરૂપ ધિરાણ દરો અને ગોઠવણો પર તેનું વલણ જાળવી રાખે તેવી શક્યતા છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી અને રાષ્ટ્રીય નિર્દેશક (સંશોધન) રજની સિન્હાએ આ અંગે જણાવ્યું છે કે એવી અપેક્ષાઓ છે કે ડિસેમ્બરની મોનીટરી પોલિસી બેઠકમાં, આરબીઆઈ રેપો અને રિવર્સ રેપો રેટ વચ્ચેના અંતરને પૂરવા માટે રિવર્સ રેપો રેટમાં વધારો કરશે. જો કે, કોવિડના નવા કલર ઓમિક્રોનને લઈ ફરી જોખમ ઉભું થયું છે.

જેના કારણે અનિશ્ચિતતા સામે વ્યાજદરોમાં બદલાવ ન લાવવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત, મોંઘવારીના દરને નિયંત્રિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવશે .આ માસના અંત સુધીમાં ફુગાવાનો દર 4.5 ટકા સુધી ઘટાડવા આરબીઆઇએ લક્ષ્યાંક સેવ્યો છે.જણાવી દઈએ કે હાલમાં, કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાપારી બેંકો માટે રેપો રેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરને 4 ટકા પર રાખ્યો છે. વધુમાં, રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.