Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોકળાની સફાઈની કામગીરી માટે રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા હતા તેઓને રોજદાર તરીકે ૯૦૦ દિવસ પૂર્ણ કરતા તમામ ૨૪ કામદારોને કાયમી કરવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ મેયર બિનાબેન આચાર્ય ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વીનભાઈ ભોરણીયા વિગેરેના હસ્તે તેઓને ઓર્ડર આપવામાં આવ્યા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા, તેમજ અન્ય અગ્રણી રઘુભાઈ સોલંકી રવિભાઈ ગોહેલ, શોભિતભાઈ પરમાર, સતિષભાઈ સોલંકી મોન્ટુભાઈ વિસરીયા, નાનજીભાઈ પારધી, જયશ્રીબેન પરમાર, મુકેશભાઈ પરમાર, મહેશભાઈ અધેરા, અનિલભાઈ સરવૈયા, વજુભાઈ લુણસીયા, પ્રવિણભાઈ ચૌહાણ, મૌલિકભાઈ પરમાર, હાર્દિકભાઈ ગોહેલ, અજયભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.