Abtak Media Google News

રાજકોટ ક્ધસલ્ટીંગ સિવિલ એન્જીનીયર એસોસીએશનના પૂર્વ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી તથા લોકસભા ચુંટણી કેમ્પેઈન કમિટી સભ્ય પ્રદિપભાઈ ત્રિવેદી તથા શિક્ષણ સમિતિના સભ્ય ડો.રાજેશ ત્રિવેદીના તથા કલ્પનાબેન જોશીના પિતા તેમજ સંદિપકુમાર જોશીના સસરા પ્રફુલચંદ રવિશંકર ત્રિવેદીનું તા.૫ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.૭ના આવતીકાલે સાંજે ૫ થી ૬ દરમિયાન રાષ્ટ્રીય શાળા, માલવીયા ચોક નજીક રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. સદગતની સ્મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા.

જેમની સ્મશાનયાત્રા આજે સવારે ૧૫૦ ફુટ રીંગ રોડ, ચિત્રલેખા એપાર્ટમેન્ટ, કેકેવી સર્કલ નજીક રાજકોટ ખાતેથી નિકળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, ડો.હેમાંગ વસાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રમેશભાઈ ‚પાપરા, મહેશ ચૌહાણ, દેવેન્દ્ર ધામી, સમીર ગામી, દાનાભાઈ કુગશિયા, પ્રભાતભાઈ ડાંગર, કૃષ્ણદત રાવલ, ભરતભાઈ જોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, યજ્ઞેશ જોશી, મિત બિલ્ડર્સવાળા આશિષ મહેતા ઉપરાંત વિવિધ સામાજીક શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.