Abtak Media Google News

નેશનલ ન્યુઝ

 આજે અયોધ્યામાં રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આખો દેશ શ્રીરામની ભક્તિમાં ડૂબી ગયો છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. ત્યાં PM મોદી પહેલા સરયૂ નદીમાં સ્નાન કરશે અને ત્યારબાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા અર્ચનામાં ભાગ લેશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે તેમજ ભાજપ નેતા ઉમા ભારતી અને રવિ શંકર પ્રસાદ અયોધ્યા પહોંચ્યા છે તો વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત નહીં રહે. RSS સુપ્રીમો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી પણ અનેક લોકોને આમંત્રણ મળ્યું છે. ત્યારે સુરતના જાણીતા બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા, મુકેશ પટેલ, લવજી બાદશાહ સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતાં.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.