Abtak Media Google News

રાજચંદ્રજીનું જીવન વૃતાંતનું પ્રદશન નિહાળી થયા અભિભૂત: વવાણીયામાં ૨ કલાક જેટલો સમય વિતાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ વવાણીયા ગામે ૨ કલાક જેટલો સમય વિતાવી શ્રીમદ રાજચંદ્રજી ના જીવન વૃતાંત વિશે માહિતી મેળવી હતી.

ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ , જ્ઞાતા અને તત્વજ્ઞાની શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબીના વવાણીયા ગામે થયો હતો. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ હતા. આજે પણ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. ત્યારે ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે પધાર્યા હતા.

સોમાભાઈ મોદીએ વવાણીયા ગામે ૨ કલાક જેટલો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેઓએ શ્રીમદ રાજચંદ્રજીના જીવન વૃતાંતનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. ઉપરાંત નરેન્દ્ર મોદી જ્યારે વવાણીયા ગામે આવ્યા હતા ત્યારે તેઓએ શ્રીમદ રાજચંદ્રજી પ્રત્યેના પોતાના વિચારો એક નોંધપોથીમાં લખ્યા હતા. આ વિચારો સોમાભાઈએ નિહાળ્યા હતા.

આ મુલાકાત વખતે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના હોદેદારો દિલુભા જાડેજા, ભરતભાઈ અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સોમાભાઈને શ્રીમદ રાજચંદ્રજીના જીવન વિશે તેમજ ટ્રસ્ટ વિશે સંપુર્ણ માહિતી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.